શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ

એલોપથી પરના વિવાદ અને IMA ને 25 પ્રશ્નો મોકલ્યા બાદ બાબા રામદેવ વધુ ફસાતા જોવા મળી રહ્યા છે. હવે IMA ઉત્તરાખંડે બાબાને 1000 કરોડની નોટીસ ફટકારી છે.

શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ
Baba Ramdev
Follow Us:
| Updated on: May 26, 2021 | 12:43 PM

બાબા રામદેવના એલોપથી પરના નિવેદન અને વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલાએ વિવાદની આગ પકડી લીધી છે. યોગ ગુરુ રામદેવ હવે આ વિવાદમાં વધુને વધુ ફસાતા જોવા મળી રહ્યા છે. તેમની મુશ્કેલી વધુને વધુ વધતી જઈ રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડે પણ હવે આ મામલે ઝંપલાવ્યું છે. બાબા રામદેવને તેઓએ 1000 કરોડ રૂપિયાની માનહાનીની નોટીસ મોકલી છે. નોટીસમાં બાબા રામદેવને 15 દિવસમાં તેમના નિવેદન માટે વિડીયો અને લેખિતમાં માફી માનવા કહેવામાં આવ્યું છે.

શું છે નોટીસમાં?

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “જો રામદેવ 15 દિવસની અંદર ખંડિત વિડિઓ અને લેખિત માફી નહીં માંગે, તો તેમની પાસેથી 1000 કરોડની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત રામદેવને કોરોનિલ કીટની ભ્રામક જાહેરાત તમામ સ્થળોથી 72 કલાકની અંદર દૂર કરવા પણ જણાવાયુ છે. જે જાહેરાતોમા દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ રસી પછી થતી આડઅસરોમાં કોરોનિલ અસરકારક છે.

રામદેવનું વિવાદિત નિવેદન

તમને જણાવી દઈએ કે બાબા રામદેવે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે એલોપથીની દવાઓ ખાવાથી લાખો લોકોના મોત થયા છે. તેમણે એલોપથીને મૂર્ખ અને નાદાર વિજ્ઞાન કહ્યું હતું. રામદેવે આ બાબતે વિવાદ વધતા અને કેન્દ્રીય પ્રધાનના જોરદાર વાંધા બાદ તેમનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.

રામદેવે IMA ને પૂછ્યા 25 પ્રશ્નો

એવું માનવામાં આવતું હતું કે વિવાદ અટકી જશે, પરંતુ 24 મેના રોજ રામદેવે ફરી એકવાર એલોપેથિક દવાઓની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ વખતે તેમણે પતંજલિના લેટરપેડ પર લખેલા પત્રમાં IMA સમક્ષ 25 પ્રશ્નો પૂછ્યા. તેમજ આ લેટરપેડ પર રામદેવની સહી પણ છે.

બાબા રામદેવે આ લેટરમાં હીપેટાઇટિસ, લીવર સોયરાઇસીસ, હૃદય વૃદ્ધિ, શુગર લેવલ 1 અને 2, ફેટી લીવર, થાઇરોઇડ, બ્લોકેજ, બાયપાસ, માઈગ્રેન, પાયરિયા, અનિદ્રા, તણાવ, ડ્રગ એડીક્ટ, ક્રોધ વગેરે પર કાયમી સારવાર વિશે પ્રશ્નો પૂછ્યા હતા.

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">