AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવાલ-જવાબ: મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે?

વેક્સિનને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો બાળકને સ્તનપાન કરાવવું જોઈએ? ચાલો આ વિશે શું કહેવું છે નિષ્ણાંતનું.

સવાલ-જવાબ: મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે?
પ્રતિકાત્મક તસ્વીર (PTI)
| Updated on: Jun 04, 2021 | 12:51 PM
Share

દેશમાં કોરોનાની બીજી લહેરનો આતંક હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેમ છતાં હજુ 24 કલાકમાં 31 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મૃત્યુના આંકડા પણ ગત 24 કલાકમાં 2,700 ના પાર રહ્યા. જોકે આ કોરોનાના આંકડા પાછલા કેટલાક દિવસોની સરખામણીમાં ઓછા છે. આવામાં વેક્સિન અભિયાન પણ શરુ છે. ઘણા લોકોને હવે વેક્સિન મળી રહી છે. આવા સમયે તમારા મનમાં પણ ઘણા પ્રશ્નો થતા હશે.

ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન લેવાની છૂટ આપવામાં આવી છે. અને બાળકને જન્મ આપ્યા બાદ પણ તેઓ વેક્સિન લઇ શકે છે આવા સમયે  બાળકને લઈને તેમના મનમાં પણ પ્રશ્નો થતા હોય છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન છે કે શું મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો બાળકને સ્તનપાન કરાવવું જોઈએ? ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ આવા સવાલોના જવાબ એક વિશેષજ્ઞએ આપ્યા છે. તો ચાલો જાણીએ કે શું કહેવું છે તેમનું.

જો રસી લીધા પછી મહિલાને તાવ આવે, તો તે બાળકને સ્તનપાન કરાવી શકે છે?

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં દિલ્હી સ્થિત ડોક્ટર અનુપમ પ્રકાશનું કહેવું છે ‘જો વેક્સિન લગાવ્યા બાદ કોઈ મહિલાને તાવ આવે છે તો ચિંતાની કોઈ વાત નથી. થોડા કલાકો કે એક દિવસમાં તાવ ઓછો થઇ જશે. આ દરમિયાન બાળકને સ્તનપાન કરાવવાનું કે ખવડાવવાનું બિલકુલ બંધ ના કરો. જો તાવ બે દિવસથી વધુ સમય સુધી રહે છે અથવા તાપમાનમાં વધારો થાય છે અને અન્ય સમસ્યાઓ પણ વધે છે, તો કોવિડ પરીક્ષણ કરાવો. તેમજ માસ્ક પહેરીને, હાથ ધોઈને બાળકને ખવડાવી શકો છો.

શું ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થશે?

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યા અનુસાર ડોક્ટર અનુપમ પ્રકાશ કહે છે ‘બાળકોમાં કોરોના સંક્રમણ મોટા લોકોના પ્રમાણમાં વધુ થાય છે. મૃત્યુ દર પણ ઓછો હોય છે. પ્રથમ અને બીજી લહેરમાં આપણે જોયું છે કે બાળકોમાં સંક્રમણનો બહુ પ્રભાવ રહ્યો નથી અને સંક્રમણનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળ્યું. ત્રીજી તરંગને ટાળવા માટે, સરકાર પણ ખૂબ સજાગ છે અને સંબંધિત માર્ગદર્શિકા બનાવી રહી છે. પ્રથમ અને બીજી લહેરથી ઘણું શીખવા મળ્યું છે. તેથી બાળકો વિશે ડરવાની જરૂર નથી, હા સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો: જો નથી ચૂકવી શકતા ક્રેડિટ કાર્ડનું બિલ તો શું થશે? ડરવાની જરૂર નથી, જાણો તમારા આ અધિકાર

આ પણ વાંચો: જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">