AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?

જો તમને વેક્સિન મળી ગઈ છે તો બેજવાબદાર વર્તન કરવું અયોગ્ય છે. તમને જાણ નહીં હોય પરંતુ વેક્સિન લેનારા પણ કોરોનાના વાહક બની શકે છે. આવી સ્થિતિમાં તમે પરિવારના લોકોના જીવ જોખમમાં મૂકી શકો છો.

જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?
| Updated on: Jun 04, 2021 | 11:20 AM
Share

કોરોનાની સામે અત્યારે વિશ્વભરમાં એક જ હથિયાર માનવામાં આવી રહ્યું છે. અને એ છે વેક્સિન. ભારતમાં પણ વેક્સિન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ સામે વેક્સિનની પણ અછત જોવા મળી રહી છે. એવામાં ઘણા લોકોને વેક્સિન લઇ લીધી છે તો સામે દેશની મોટી જનસંખ્યાને હજુ વેક્સિન લેવાની બાકી છે.

આવા સમયમાં પરિવારમાં ઘણા સભ્યોને વેક્સિન મળી ગઈ હોય છે તો ઘણાને વેક્સિન બાકી હોય છે. આવામાં વેક્સિન મળી ગઈ હોય તેમની બેદરકારી અન્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. કેમ કે તેઓ કોરોના પરિવાહક તો બની જ શકે છે. તો ચાલો જાણીએ કે જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય તો તેમને વાયરસથી બચાવવા કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

ના રહો બેદરકાર

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ એન્ટિ-કોરોનાવાયરસ રસી ચેપ સામે સંપૂર્ણ રક્ષણ પૂરી પાડતી નથી, પરંતુ તે શરીરમાં સાર્સ કોવી-2 વાયરસના પ્રજનન દરને ઘટાડે છે.

આને કારણે વાયરસ ઝડપથી તેની સંખ્યામાં વધારો કરી શકતો નથી. પરિણામે દર્દી પર ગંભીર સ્થિતિમાં જવાનું કે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટે છે. અને તેને વેન્ટિલેટર પર રાખવાની જરૂર નથી.

તે પણ શક્ય છે કે વેક્સિન લીધેલા લોકોને સંક્રમણ થઇ શકે છે પરંતુ તેમાં લક્ષણો વિકસતા નથી. આવી સ્થિતિમાં આ દર્દીઓ ઘરના તે સભ્યો માટે કોરોના પરિવાહક બની શકે છે.

સાવચેતીનાં પગલાં લેવાનું ચાલુ રાખો

વેક્સિન ના મળી હોય તેમને અને સાથે સાથે જે લોકોને કોવિડ -19 ની વેક્સિન મળી ગઈ છે તેઓએ પણ માસ્ક પહેરવું જોઈએ. સમય સમય પર સાબુથી હાથ ધોવા અને સામાજિક અંતરને જાળવી રાખવું જોઈએ.

વગર કામે ઘરની બહાર ના નીકળવું જોઈએ. જાહેર પરિવહનનો ઉપયોગ ખુબ જરૂરી હોય તો જ કરવો જોઈએ. આ ઉપરાંત વેક્સિન લીધેલા અને વેક્સિન ના લીધેલા લોકોએ પણ કોઈ જગ્યાએ હાથ લગાડ્યા બાદ હેન્ડ સેનિટાઇઝરથી સાફ કરવા જોઈએ. કેમ કે વેક્સિન લીધેલા લોકો પણ વાયરસના પરિવાહક બની શકે છે.

જ્યારે ઘરમાં કોઈને પણ ઠંડી-શરદી-તાવ જેવા લક્ષણો જોવા મળે ત્યારે ફળો અને શાકભાજી સહિત બહારથી લાવેલી દરેક વસ્તુને ધોઈને વાપરવી જોઈએ.

આ પણ વાંચો: ભારતીય કુર્તીને 2.5 લાખમાં વેચી રહી છે આ કંપની, લોકોએ મજેદાર કોમેન્ટ કરીને ઉડાવી મજાક, વાંચો

આ પણ વાંચો: મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">