
ભારતીય લોકશાહીમાં સંસદ એ કાયદા ઘડવાનું સૌથી મોટું મંદિર છે. હાલમાં જ સરકાર દ્વારા 131મું બંધારણીય સુધારો, પરિસીમન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા જેવા મહત્વના બિલો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સંસદમાં રજૂ થયેલું કોઈપણ ‘વિધેયક’ (Bill) કેવી રીતે ‘અધિનિયમ’ (Act) એટલે કે કાયદો બને છે? આ પ્રક્રિયા પાંચ મહત્વના તબક્કાઓમાંથી પસાર થાય છે.
સૌ પ્રથમ જે-તે મંત્રાલય દ્વારા બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે. જો તે મંત્રી રજૂ કરે તો ‘સરકારી બિલ’ અને જો કોઈ અન્ય સાંસદ રજૂ કરે તો તેને ‘પ્રાઈવેટ બિલ’ કહેવામાં આવે છે. પ્રથમ વાંચનમાં માત્ર બિલનું શીર્ષક અને તેનો ઉદ્દેશ્ય જણાવવામાં આવે છે, તેના પર કોઈ ચર્ચા થતી નથી.
બીજા વાંચન દરમિયાન બિલની એક-એક કલમ પર ઝીણવટભરી ચર્ચા થાય છે. અહીં જ સુધારા-વધારા સૂચવવામાં આવે છે. જરૂર જણાય તો બિલને ‘સિલેક્ટ કમિટી’ પાસે પણ મોકલવામાં આવે છે. ત્રીજા વાંચનમાં માત્ર બિલનો સ્વીકાર કરવો કે અસ્વીકાર તે માટે મતદાન થાય છે.
એક ગૃહમાં પાસ થયા પછી બિલ બીજા ગૃહમાં જાય છે.
બિલની પ્રકૃતિ મુજબ તેને પાસ કરવા માટે ત્રણ પ્રકારની બહુમતી જોઈએ છે:
જ્યારે બંને ગૃહો બિલ પસાર કરી દે, ત્યારે તે રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે તે સાથે જ બિલ કાયદો બની જાય છે. જો કોઈ બિલ પર બંને ગૃહો વચ્ચે મડાગાંઠ સર્જાય, તો કલમ 108 હેઠળ રાષ્ટ્રપતિ ‘સંયુક્ત બેઠક’ પણ બોલાવી શકે છે. અંતે ગેઝેટમાં પ્રસિદ્ધ થયા બાદ આ કાયદો આખા દેશમાં અમલી બને છે.