AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir : CRPFનો આજે 83મો સ્થાપના દિવસ, ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે

ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમારોહના સ્થળ જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Jammu and Kashmir : CRPFનો આજે 83મો સ્થાપના દિવસ, ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે
home minister Amit Shah Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:04 AM
Share

Jammu and Kashmir : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) આજે તેનો 83મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સીઆરપીએફના પ્રવક્તા અનુસાર, આ કાર્યક્રમ માટે લોકોને મોટા પાયે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)મુખ્યત્વે જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં હાજરી આપશે. તેમના જમ્મુ પ્રવાસની તૈયારીઓ વચ્ચે સીમા સુરક્ષા દળના ડીજી કુલદીપ સિંહ (Kuldeep Singh) પણ મંગળવારે જમ્મુ પહોંચ્યા હતા.

ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમારોહના સ્થળ જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સ્ટેડિયમને ત્રણ રાઉન્ડની સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે.

આ ત્રણ રાઉન્ડના છેલ્લા સર્કલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ખાસ કમાન્ડો તૈનાત રહેશે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને શરૂઆતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રજવાડાઓને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દેશની આઝાદી બાદ 28 ડિસેમ્બર 1949ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. 19 માર્ચ, 1950ના રોજ, તત્કાલિન નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલે CRPFને પ્રતીક અર્પણ કર્યું હતું.

ગૃહમંત્રી પોલીસકર્મીઓના પરિવારજનોને મળ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ઘાટીમાં અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં જીવ ગુમાવનારા ચાર પોલીસકર્મીઓના પરિવારજનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના સુરક્ષા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. શાહ શુક્રવારે સાંજે બે દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા અને એક તસવીર ટ્વીટ કરી હતી જેમાં તેઓ શહીદ પોલીસકર્મીઓના સંબંધીઓને કરુણાના આધારે નિમણૂક પત્રો આપતા જોવા મળે છે.

તેમણે ટ્વીટ કર્યું, “આજે જમ્મુ પહોંચ્યા અને આતંકવાદી ઘટનાઓમાં શહીદ થયેલા જમ્મુ અને કાશ્મીર પોલીસના બહાદુર જવાનોના પરિવારોને નોકરીની નિમણૂક પત્રો આપ્યા. જમ્મુ અને કાશ્મીરને સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણ અને બહાદુરી પર સમગ્ર દેશને ગર્વ છે. મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશના વડાપ્રધાન Sheikh Hasinaએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, કહ્યું અમારા નાગરિકોને મદદ કરવા બદલ આભાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">