રમઝાનમાં રોઝા રાખવા પાછળનો શું છે ઈતિહાસ? શું ઈસ્લામના આવ્યા પહેલા પણ રોઝા રાખવાની પરંપરા હતી ? વાંચો
તમે ક્યારેય વિચાર્યું છે કે રોઝા માટે ફક્ત 30 દિવસ કેમ નક્કી કરવામાં આવ્યા છે? શું ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું છે કે 30 દિવસથી વધુ રોઝા રાખવામાં આવ્યા હોય? અને શું રોઝા રાખવાની પરંપરા ઇસ્લામના આવ્યા પછી શરૂ થઈ હતી કે ઇસ્લામના આગમન પહેલાં પણ રોઝા રાખવામાં આવતા હતા? શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોઝા દરમિયાન ફક્ત સવારે કે સૂર્યાસ્ત પછી જ ભોજન કેમ લેવામાં આવે છે? દિવસ દરમિયાન ભોજન કેમ નથી લેવામાં આવતું?

ઇસ્લામના સૌથી પાક મહિનાઓમાંથી એક મહિનો માનવામાં આવે છે રમઝાનનો મહિનો. કેટલાક લોકો તેને રમાદાન પણ કહે છે. આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખે છે. રોઝા દરમિયાન મુસ્લિમો સૂર્યોદય પછીથી સૂર્યાસ્ત પહેલાં કંઈ ખાતા નથી. પાણી પીવાની પણ મનાઈ હોય છે. આ રોઝા 30 દિવસનો હોય છે. રમઝાનને સુકુનનો મહિનો કહેવામાં આવે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે રમઝાનના મહિનામાં માત્ર 30 દિવસના રોઝા કેમ રાખવામાં આવે છે? ઇસ્લામમાં રોઝા રાખવાની શરૂઆત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબે જ્યારે હજ યાત્રા શરૂ કરી ત્યારે બીજા વર્ષથી રોઝા રાખવાની શરૂઆત કરી હતી. આ વર્ષ 624 AD હતું. ત્યાર પછીથી આજ સુધી રમઝાનના મહિનામાં રોઝા રાખવામાં આવે છે. જો કે, આ ઈતિહાસ માત્ર અહીં સમાપ્ત નથી થતો. રોઝાનો ઇતિહાસ હઝરત મોહમ્મદ...
