AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand માં ગ્લેશિયર તૂટતાં તબાહી બાદ ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ, સીએમ યોગીએ કહ્યું તંત્ર સતર્ક

ઉત્તરાખંડમાં ડેમના વિનાશને ધ્યાનમાં રાખીને યુપીને પણ ઉચ્ચ ચેતવણી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ યુપીના સંબંધિત વિભાગો અને અધિકારીઓને આ ઘટના પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે

Uttarakhand માં ગ્લેશિયર તૂટતાં તબાહી બાદ ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ, સીએમ યોગીએ કહ્યું તંત્ર સતર્ક
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 07, 2021 | 8:11 PM

Uttarakhand  માં ડેમના વિનાશને ધ્યાનમાં રાખીને યુપીને પણ ઉચ્ચ ચેતવણી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ યુપીના સંબંધિત વિભાગો અને અધિકારીઓને આ ઘટના પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. એસડીઆરએફને પણ ચેતવણી આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ગંગા નદીના કિનારાના તમામ જિલ્લાના કલેકટર  અને એસપીને પણ સતર્ક રહેવા  નિર્દેશ આપ્યા છે.

રાહત કમિશનરે તમામ કલેક્ટરોને આપત્તિ ચેતવણી જાહેર કરી છે. રાહત કમિશનરે કહ્યું કે ગંગા નદી પરના જિલ્લાઓને સતર્ક રહેવાની જરૂર છે અને પાણીના સ્તરનું સતત નિરીક્ષણ કરવું જરૂરી છે.લોકોને જરૂરી હોય તો બહાર નીકળવા  અને   સલામત સ્થળે લઈ જવા સૂચના પણ આપવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને પીએસી ફ્લડ કંપનીને એલર્ટ રહેવા જણાવ્યું છે.

બિઝનોરથી ગઢમુક્તેશ્વર સુધી એલર્ટ

કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો
પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે
પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ જાય ?
ઓફિસના ડેસ્ક પર તુલસી રાખવી શુભ છે કે અશુભ?
ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Moong Dal: કેમિકલયુક્ત મગની દાળ ઓળખવા માટેની સરળ ટિપ્સ

Uttarakhand ના ચમોલી જિલ્લામાં ઋષિગંગા  વીજ પ્રોજેક્ટના ડેમના ભાગરૂપે અલકનંદા નદીમાં પ્રવાહ વધ્યો છે.ઋષિ કેશ, હરિદ્વારથી ગઢમુક્તેશ્વર બિઝનોર સુધી એલર્ટ પણ જાહેર કરાયું છે. મંડાવર અને નાંગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગાના કાંઠે વસેલા ગામમાં પોલીસ જાહેરાત કરીને ગંગા નદી તરફ ન જવા વિનંતી કરી રહી છે અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ જરૂર જણાશે તો  દેવલગઢ સ્થિત પીપે કા પુલ પણ ખોલવામાં આવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">