AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helicopter Chrash: દુર્ઘટનાના કારણ પાછળ અનેક સવાલ, ટેકનીકલ ખામીની શક્યતા ઓછી, Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક

દુર્ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવમાં જે સમયે અને જ્યાં અકસ્માત થયો તે સ્થળ ગાઢ જંગલ છે. પહાડી વિસ્તાર અને ઓછી વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું કહેવાય છે.

Helicopter Chrash: દુર્ઘટનાના કારણ પાછળ અનેક સવાલ, ટેકનીકલ ખામીની શક્યતા ઓછી, Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક
Army Helicopter Crash
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 4:06 PM
Share

તમિલનાડુ (Tamil Nadu) ના કુન્નુરમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter crash) ના કારણ અંગે હજુ પણ રહસ્ય યથાવત છે. અત્યાર સુધી દુર્ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ કુન્નૂરમાં ખરાબ હવામાન (Bad weather) હતું. જો કે આ હેલિકોપ્ટર નાઈટ વિઝન (Night Vision), ઓટો પાયલટ મોડ અને વેધર રડારથી સજ્જ છે. આવી સ્થિતિમાં અકસ્માત પર સવાલો ઉઠી રહ્યા છે.

Mi-17V5 સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક છે. રશિયન હેલિકોપ્ટર કંપની ‘કાઝાન’ તેને બનાવે છે. અત્યાર સુધી દુર્ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક ધોરણે એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ કુન્નૂરમાં ખરાબ હવામાન હતું. પરંતુ આ હેલિકોપ્ટર નાઈટ વિઝન, ઓટો પાયલટ મોડ અને વેધર રડારથી સજ્જ છે. આવી સ્થિતિમાં અકસ્માત પર સવાલો ઉઠી રહ્યા છે.

દુર્ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવમાં જે સમયે અને જ્યાં અકસ્માત થયો તે સ્થળ ગાઢ જંગલ છે. પહાડી વિસ્તાર અને ઓછી વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વેલિંગ્ટનનું હેલિપેડ તરત જ જંગલ અને પહાડી વિસ્તારને અડીને આવેલું છે, તેથી પાયલોટ માટે તેને દૂરથી જોવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અહીં ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે.

ક્રેશ લેન્ડિંગ નિષ્ફળ ગયું

કહેવાય છે કે ઓછી વિઝિબિલિટીના કારણે તે ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. હેલિકોપ્ટર પણ લેન્ડિંગ પોઈન્ટથી ઓછું અંતર હોવાને કારણે ઘણું નીચું હતું. નીચે ગાઢ જંગલો હતા તેથી ક્રેશ લેન્ડિંગ પણ નિષ્ફળ ગયું. આ હેલિકોપ્ટરના પાઈલટ ગ્રુપ કેપ્ટન અને સીઓ રેન્કના ઓફિસર હતા, જેઓ સેનાના સૌથી સક્ષમ પાઈલટોમાં સામેલ છે. હેલિકોપ્ટર બે એન્જિનનું હતું. આવી સ્થિતિમાં એક એન્જિન ફેલ થાય તો પણ બાકીના એન્જિનથી લેન્ડિંગ થઈ શકે છે.

Mi-17V5 હેલિકોપ્ટર અનેક ખૂબીથી યુક્ત

Mi-17V5 હેલિકોપ્ટર હવામાન રડાર સાથે અદ્યતન ‘નાઇટ વિઝન’ સાધનોથી સજ્જ છે. તેમાં PKV-8 ઓટો પાયલોટ મોડની સુવિધા પણ છે. Mi-17V5 હેલિકોપ્ટર 4,000 કિલો સામગ્રી વહન કરવામાં સક્ષમ છે. ભારતે 2008 માં માનવતાવાદી અને આપત્તિ રાહત કામગીરી અને પરિવહન કામગીરી માટે તેના હેલિકોપ્ટર કાફલાને મજબૂત કરવા 80 Mi-17V5 હેલિકોપ્ટરની ખરીદી માટે રશિયા સાથે કરાર કર્યો હતો. જોકે, બાદમાં તેમની સંખ્યા વધારીને 151 કરવામાં આવી હતી. આ હેલિકોપ્ટરનું પહેલું કન્સાઈનમેન્ટ સપ્ટેમ્બર 2011માં ભારત પહોંચ્યું હતું. ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2012માં ઔપચારિક રીતે Mi-17V5 હેલિકોપ્ટરને તેના કાફલામાં સામેલ કર્યું. આ હેલિકોપ્ટર વિવિધ પ્રકારના હુમલાઓથી પણ સ્વ-રક્ષણ સિસ્ટમથી સજ્જ છે. આ MI ક્લાસ હેલિકોપ્ટર મહત્તમ 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

આ પણ વાંચોઃ Surat : હીરા ઉધોગકારોની પરેશાનીમાં વધારો, રફ હીરાના ભાવવધારાથી ઉત્પાદન કાપ

આ પણ વાંચોઃ અમેરિકા, બ્રિટન સહિત 4 દેશે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સનો કર્યો બહિષ્કાર, ચીને કહ્યું ચૂકવવી પડશે કિંમત

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">