AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helicopter Chrash: દુર્ઘટનાના કારણ પાછળ અનેક સવાલ, ટેકનીકલ ખામીની શક્યતા ઓછી, Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક

દુર્ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવમાં જે સમયે અને જ્યાં અકસ્માત થયો તે સ્થળ ગાઢ જંગલ છે. પહાડી વિસ્તાર અને ઓછી વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું કહેવાય છે.

Helicopter Chrash: દુર્ઘટનાના કારણ પાછળ અનેક સવાલ, ટેકનીકલ ખામીની શક્યતા ઓછી, Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક
Army Helicopter Crash
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 4:06 PM
Share

તમિલનાડુ (Tamil Nadu) ના કુન્નુરમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter crash) ના કારણ અંગે હજુ પણ રહસ્ય યથાવત છે. અત્યાર સુધી દુર્ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ કુન્નૂરમાં ખરાબ હવામાન (Bad weather) હતું. જો કે આ હેલિકોપ્ટર નાઈટ વિઝન (Night Vision), ઓટો પાયલટ મોડ અને વેધર રડારથી સજ્જ છે. આવી સ્થિતિમાં અકસ્માત પર સવાલો ઉઠી રહ્યા છે.

Mi-17V5 સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક છે. રશિયન હેલિકોપ્ટર કંપની ‘કાઝાન’ તેને બનાવે છે. અત્યાર સુધી દુર્ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક ધોરણે એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ કુન્નૂરમાં ખરાબ હવામાન હતું. પરંતુ આ હેલિકોપ્ટર નાઈટ વિઝન, ઓટો પાયલટ મોડ અને વેધર રડારથી સજ્જ છે. આવી સ્થિતિમાં અકસ્માત પર સવાલો ઉઠી રહ્યા છે.

દુર્ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવમાં જે સમયે અને જ્યાં અકસ્માત થયો તે સ્થળ ગાઢ જંગલ છે. પહાડી વિસ્તાર અને ઓછી વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વેલિંગ્ટનનું હેલિપેડ તરત જ જંગલ અને પહાડી વિસ્તારને અડીને આવેલું છે, તેથી પાયલોટ માટે તેને દૂરથી જોવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અહીં ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે.

ક્રેશ લેન્ડિંગ નિષ્ફળ ગયું

કહેવાય છે કે ઓછી વિઝિબિલિટીના કારણે તે ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. હેલિકોપ્ટર પણ લેન્ડિંગ પોઈન્ટથી ઓછું અંતર હોવાને કારણે ઘણું નીચું હતું. નીચે ગાઢ જંગલો હતા તેથી ક્રેશ લેન્ડિંગ પણ નિષ્ફળ ગયું. આ હેલિકોપ્ટરના પાઈલટ ગ્રુપ કેપ્ટન અને સીઓ રેન્કના ઓફિસર હતા, જેઓ સેનાના સૌથી સક્ષમ પાઈલટોમાં સામેલ છે. હેલિકોપ્ટર બે એન્જિનનું હતું. આવી સ્થિતિમાં એક એન્જિન ફેલ થાય તો પણ બાકીના એન્જિનથી લેન્ડિંગ થઈ શકે છે.

Mi-17V5 હેલિકોપ્ટર અનેક ખૂબીથી યુક્ત

Mi-17V5 હેલિકોપ્ટર હવામાન રડાર સાથે અદ્યતન ‘નાઇટ વિઝન’ સાધનોથી સજ્જ છે. તેમાં PKV-8 ઓટો પાયલોટ મોડની સુવિધા પણ છે. Mi-17V5 હેલિકોપ્ટર 4,000 કિલો સામગ્રી વહન કરવામાં સક્ષમ છે. ભારતે 2008 માં માનવતાવાદી અને આપત્તિ રાહત કામગીરી અને પરિવહન કામગીરી માટે તેના હેલિકોપ્ટર કાફલાને મજબૂત કરવા 80 Mi-17V5 હેલિકોપ્ટરની ખરીદી માટે રશિયા સાથે કરાર કર્યો હતો. જોકે, બાદમાં તેમની સંખ્યા વધારીને 151 કરવામાં આવી હતી. આ હેલિકોપ્ટરનું પહેલું કન્સાઈનમેન્ટ સપ્ટેમ્બર 2011માં ભારત પહોંચ્યું હતું. ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2012માં ઔપચારિક રીતે Mi-17V5 હેલિકોપ્ટરને તેના કાફલામાં સામેલ કર્યું. આ હેલિકોપ્ટર વિવિધ પ્રકારના હુમલાઓથી પણ સ્વ-રક્ષણ સિસ્ટમથી સજ્જ છે. આ MI ક્લાસ હેલિકોપ્ટર મહત્તમ 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

આ પણ વાંચોઃ Surat : હીરા ઉધોગકારોની પરેશાનીમાં વધારો, રફ હીરાના ભાવવધારાથી ઉત્પાદન કાપ

આ પણ વાંચોઃ અમેરિકા, બ્રિટન સહિત 4 દેશે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સનો કર્યો બહિષ્કાર, ચીને કહ્યું ચૂકવવી પડશે કિંમત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">