AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપમાં ભારોભાર ભ્રષ્ટાચાર, મહાકાલને પણ છોડ્યા નથી, મધ્યપ્રદેશમાં બોલી પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ, મધ્યપ્રદેશના ધારમાં ભાજપ અને વડાપ્રધાન મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપે ભગવાનને પણ છોડ્યા નથી. મધ્યપ્રદેશમાં બધે જ કૌભાંડો જ કૌભાંડ છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશમાં પરીક્ષા કૌભાંડ, વ્યાપમ કૌભાંડ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ભાજપમાં ભારોભાર ભ્રષ્ટાચાર, મહાકાલને પણ છોડ્યા નથી, મધ્યપ્રદેશમાં બોલી પ્રિયંકા ગાંધી
Priyanka Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 5:52 PM
Share

આજે ગુરુવારે મધ્યપ્રદેશના ધારમાં જન આક્રોશ રેલીને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં દરેક જગ્યાએ કૌભાંડ જ કૌભાંડ ચાલી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ કૌભાંડ થકી ‘મહાકાલ’ ને પણ છોડ્યા નથી. હવે મધ્યપ્રદેશમાં સરકાર બદલવાનો સમય આવી ગયો છે. પ્રિયંકા ગાંધીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાકપ્રહાર કરતા કહ્યું કે, આજકાલ વડાપ્રધાન મોદી, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહનું નામ લેતા પણ શરમાય છે, પરંતુ કોંગ્રેસનું નામ તેમના સંબોધનમાં પંચ્યાસી વખત લે છે. મારી તેમને સલાહ છે કે ક્યારેક વડાપ્રધાન મોદીએ ‘વિકાસ’નું નામ પણ લેવું જોઈએ.

ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ થયું હતું, જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ તેની તપાસ હજુ સુધી થઈ નથી. જ્યારે, જો કોઈ તેમની વિરુદ્ધ કંઈ બોલે અથવા લખે છે, તો તરત જ સરકારના ઈશારે ઇડી તેમના ઘરે પહોંચી જાય છે. ED ફિલ્મ કલાકારોના ઘરે પણ પહોંચે છે. ED મધ્યપ્રદેશના અધિકારીઓ અને ભાજપના નેતાઓના ઘરે કેમ નથી પહોંચતું?

પ્રિયંકાએ ભાજપ પર કર્યા પ્રહારો

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેરસભાને સંબોધતા વધુમાં કહ્યું કે, જેઓ આજે મોટા મોટા ચૂંટણી વચનો આપી રહ્યા છે. વર્ષોથી લૂંટ ચલાવ્યા પછી તેમને ગેસ સિલિન્ડરની કિંમત યાદ આવી છે. 18 વર્ષ પછી તેમને તેમની બહેનો યાદ આવી. તો 18 વર્ષ સુધી આ બહેનો ક્યાં ગૂમ થઈ ગઈ હતી ? પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં તલાટી છેલ્લા એક મહિનાથી હડતાળ પર છે કારણ કે ભાજપ સરકારે તેમને સહાય પૂરી પાડી નથી. લોકો પોતાના અગત્યના કામ કરાવવા માટે અહીં તહીં ભટકી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકારોએ પંચાયતોને સત્તા આપીને આ અધિકારને વધુ મજબૂત બનાવ્યો છે. પરંતુ આજે ભાજપ, સરપંચોના અધિકારો છીનવી રહી છે. અમને અમારા દેશ પર ગર્વ છે. અહીં દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે મેં મધ્યપ્રદેશના યુવાનોને પૂછ્યું કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં શું થવાનું છે તો તેઓએ કહ્યું કે ‘રાજા જવાના છે’, આ વખતે અમે મધ્ય પ્રદેશમાં રોજગાર માટે મતદાન કરીશું.

આ વખતની ચૂંટણી મધ્યપ્રદેશના ભાવિષ્યની ચૂંટણી છે

પ્રિયંકા ગાંધીની મધ્યપ્રદેશની મુલાકાત અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કમલનાથે કહ્યું કે પ્રિયંકા ગાંધીની મધ્યપ્રદેશની મુલાકાતે ઘણી અસરકારક રહેશે. ઉમેદવારોની યાદી અંગે તેમણે કહ્યું કે મને મધ્યપ્રદેશના મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ છે. સ્ત્રી હોય કે પુરુષ, આ ચૂંટણી સમગ્ર મધ્યપ્રદેશનું ભવિષ્ય નક્કી કરશે. આ વખતે કોઈ એક માત્ર એક ઉમેદવાર કે એક રાજકીય પક્ષની ચૂંટણી નથી પરંતુ મધ્યપ્રદેશના ભવિષ્યની ચૂંટણી છે. કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ 4 થી 5 દિવસમાં ફાઈનલ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યોની સાથેસાથે મધ્યપ્રદેશમાં કોઈપણ સમયે વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">