AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં હારશે કોરોના ! Covovax અને Corbevax રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મળી મંજૂરી

કોરોના મહામારી સામે તૈયાર કરાયેલ કોવોવેક્સ અને કોર્બેવેક્સ રસીઓને દેશમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે.

દેશમાં હારશે કોરોના ! Covovax અને Corbevax રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મળી મંજૂરી
Covovax Corbevax Anti viral drug Molnupiravir (File photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 12:10 PM
Share

દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ વચ્ચે કેન્દ્ર સરકાર કોરોના સામેની મહામારી સામે લડવા માટે સજ્જ છે. દેશમાં કોરોનાને સંપૂર્ણ રીતે હરાવવા માટે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ કોરોના વેક્સિન કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરવીરના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, Corbevax ભારતમાં બનેલી પ્રથમ ‘RBD પ્રોટીન સબ-યુનિટ વેક્સિન’ છે. તેને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ-ઇ (Biological-E) દ્વારા બનાવવામાં આવી છે. મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે , ‘તે હેટ્રિક છે! હવે તે ભારતમાં વિકસિત ત્રીજી રસી બની ગઈ છે.’ નેનોપાર્ટિકલ વેક્સિન (Nanoparticle Vaccine) કોવોવેક્સ પુણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં (Serum Institute of India) બનાવવામાં આવશે.

મોલનુપીરાવીરનું ઉત્પાદન દેશમાં જ થશે આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીર હવે દેશની 13 કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે. આ દવા ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને રોગ થવાનું જોખમ વધારે હશે.

આ દવા કોરોના સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સંશોધન દર્શાવે છે કે જે દર્દીઓને મોલનુપીરાવીર દવા આપવામાં આવી હતી તેઓને 14 દિવસના નિરીક્ષણ દરમિયાન પ્રમાણભૂત સંભાળ મેળવનારા દર્દીઓની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબ જ ઓછી જરૂરિયાત હતી.

આ પણ વાંચો : Corona case in Delhi : દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આજે CM કેજરીવાલ કરશે બેઠક, ‘GRAP’ સિસ્ટમ લાગુ કરવા પર વિચાર કરી શકે

આ પણ વાંચો : Happy birthday Cezanne Khan : વિવાદોમાં રહ્યો હતો સીઝેન ખાન, એક પાકિસ્તાની મહિલાએ કર્યો હતો લગ્નનો દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">