AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં હારશે કોરોના ! Covovax અને Corbevax રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મળી મંજૂરી

કોરોના મહામારી સામે તૈયાર કરાયેલ કોવોવેક્સ અને કોર્બેવેક્સ રસીઓને દેશમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે.

દેશમાં હારશે કોરોના ! Covovax અને Corbevax રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મળી મંજૂરી
Covovax Corbevax Anti viral drug Molnupiravir (File photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 12:10 PM
Share

દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ વચ્ચે કેન્દ્ર સરકાર કોરોના સામેની મહામારી સામે લડવા માટે સજ્જ છે. દેશમાં કોરોનાને સંપૂર્ણ રીતે હરાવવા માટે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ કોરોના વેક્સિન કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરવીરના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, Corbevax ભારતમાં બનેલી પ્રથમ ‘RBD પ્રોટીન સબ-યુનિટ વેક્સિન’ છે. તેને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ-ઇ (Biological-E) દ્વારા બનાવવામાં આવી છે. મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે , ‘તે હેટ્રિક છે! હવે તે ભારતમાં વિકસિત ત્રીજી રસી બની ગઈ છે.’ નેનોપાર્ટિકલ વેક્સિન (Nanoparticle Vaccine) કોવોવેક્સ પુણે સ્થિત કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં (Serum Institute of India) બનાવવામાં આવશે.

મોલનુપીરાવીરનું ઉત્પાદન દેશમાં જ થશે આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીર હવે દેશની 13 કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે. આ દવા ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને રોગ થવાનું જોખમ વધારે હશે.

આ દવા કોરોના સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સંશોધન દર્શાવે છે કે જે દર્દીઓને મોલનુપીરાવીર દવા આપવામાં આવી હતી તેઓને 14 દિવસના નિરીક્ષણ દરમિયાન પ્રમાણભૂત સંભાળ મેળવનારા દર્દીઓની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબ જ ઓછી જરૂરિયાત હતી.

આ પણ વાંચો : Corona case in Delhi : દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આજે CM કેજરીવાલ કરશે બેઠક, ‘GRAP’ સિસ્ટમ લાગુ કરવા પર વિચાર કરી શકે

આ પણ વાંચો : Happy birthday Cezanne Khan : વિવાદોમાં રહ્યો હતો સીઝેન ખાન, એક પાકિસ્તાની મહિલાએ કર્યો હતો લગ્નનો દાવો

JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
g clip-path="url(#clip0_868_265)">