Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજાન વિવાદ યથાવત: ઉન્નાવ શહેરમાં અજાનના સમયે લાઉડસ્પીકર પરથી કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠ

હિન્દુ જાગરણ મંચના પ્રાંત મંત્રી વિમલ દ્વિવેદી કહે છે કે ધાર્મિક સ્વતંત્રતા એકતરફી ન હોવી જોઈએ. બિન-મુસ્લિમ બહુમતી સમાજે મસ્જિદોમાંથી અજાન (Aaan) કેમ સાંભળવી જોઈએ ? આ ક્યાંકને ક્યાંક હિન્દુઓની (Hindu) ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

અજાન વિવાદ યથાવત: ઉન્નાવ શહેરમાં અજાનના સમયે લાઉડસ્પીકર પરથી કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠ
Azaan Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:24 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra) સર્જાયેલ અજાન VS હનુમાન ચાલીસાનો વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. મહારાષ્ટ્ર બાદ આ વિવાદ ઉતરપ્રદેશ સહીત દેશના કેટલાક રાજ્યોમાં પ્રસર્યો છે. ઉતરપ્રદેશના (Uttar Pradesh) ઉન્નાવમાં હિન્દુ જાગરણ મંચના પ્રભારી વિમલ દ્વિવેદીએ અજાન સમયે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ (Hanuman Chalisa on Loudspeaker)કરતા વિવાદ વધુ વણસ્યો છે. એટલુ જ નહીં દિવસમાં 5 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ હાથમાં અજાન VS હનુમાન ચાલીસાના પોસ્ટરો સાથે લોકો જય શ્રી રામના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા. આ સાથે હિંદુ જાગરણ મંચ દ્વારા શહેરમાં મંદિરોની બહાર હનુમાન ચાલીસાના પોસ્ટર (Poster) પણ વહેંચવામાં આવ્યા છે.

અટકવાનુ નામ નથી લઈ રહ્યો અજાન વિવાદ

હિન્દુ જાગરણ મંચના પ્રાંત મંત્રી વિમલ દ્વિવેદીએ શહેરના મહોલ્લા હાઉસિંગ ડેવલપમેન્ટ સ્થિત શિવ મંદિરમાં લાઉડસ્પીકર( Loudspeaker) લગાવીને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે.

હનુમાન ચાલીસાનો આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે. જ્યારે મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા અજાન કરવામાં આવશે તે જ સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિન્દુ જાગરણ મંચના આ પગલાથી વિવાદ વધ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)  મંગળવારે સાંજે આદેશ જાહેર કર્યો છે કે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર કાર્યક્રમ નહીં થાય. જ્યાં પણ લાઉડસ્પીકર દ્વારા કાર્યક્રમો થશે, તેનો અવાજ એટલો હશે કે તે અવાજ પરિસરમાં જ રહે. જેથી તે બહાર સંભળાય નહીં.

આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?

અજાન પર આપતિ શા માટે ?

મુખ્યમંત્રીના આદેશ બાદ જ હિન્દુ જાગરણ મંચ દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત મંત્રી વિમલ દ્વિવેદીએ કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા એકતરફી ન હોવી જોઈએ. બિન-મુસ્લિમ બહુમતી સમાજે મસ્જિદોમાંથી અજાન કેમ સાંભળવી જોઈએ ? જેમાં માત્ર અલ્લાહની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. આ ક્યાંકને ક્યાંક હિન્દુઓની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. તેમજ લાઉડ સ્પીકર એ ઇસ્લામનો ભાગ નથી, તે થોડા દાયકાઓ પહેલાની શોધ છે, પરંતુ કોર્ટના આદેશ છતાં વહીવટીતંત્ર કોર્ટના આદેશનો અમલ કરી શકતું નથી ત્યારે મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર આવ્યા નથી. આથી હિન્દુ જાગરણ મંચ દ્વારા મંદિરોમાંથી 5 વખત હનુમાન ચાલીસા વગાડવામાં આવશે અને જિલ્લાના દરેક મંદિરો સુધી હિન્દુ સમાજ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
g clip-path="url(#clip0_868_265)">