AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ

મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે, જહાંગીરપુરી (Jahangirpuri) વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું અભિયાન હાથ ધરશે. દિલ્લી મ્યુ. કોર્પોરેશન (MCD) આ અભિયાન દ્વારા અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી મિલકતોને તોડી પાડવામાં આવશે.

હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ
Operation with bulldozers on illegal construction (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:36 AM
Share

Jahangirpuri Violence : દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) હનુમાન જયંતિ શોભા યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ (Delhi Police) ફુલ એક્શન મોડમાં છે. હવે યુપી અને મધ્યપ્રદેશની જેમ, દિલ્હીમાં પણ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર (Bulldozer) ચલાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડશે. ખાસ કરીને અતિક્રમણ કરનારાઓ સામે અભિયાન હાથ ધરાશે. આ દરમિયાન અતિક્રમણ દ્વારા બનાવવામાં આવેલી મિલકતોને જમીનદોસ્ત કરી દેવાશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પર અતિક્રમણ અભિયાન દરમિયાન, MCD એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે, દિલ્હી પોલીસ પાસેથી 400 કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને કાઉન્સિલરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે યુપી અને મધ્યપ્રદેશની જેમ જહાંગીરપુરીમાં પણ ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ પછી જ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોવાનું મનાય છે. આ જ કારણ છે કે 20-21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં દબાણ કરીને મિલકત ઊભી કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, સમગ્ર જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જગ્યા પચાવી પાડીને ગેરકાયદેસર કામ કરતા લોકો સામે MCD અને પોલીસ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.

20-21 એપ્રિલે MCDની મોટી કાર્યવાહી

દિલ્હી બીજેપી અધ્યક્ષે પોતાના પત્રમાં કહ્યું હતું કે જહાંગીરપુરી હિંસાના તોફાનીઓ અને બદમાશોને સ્થાનિક AAP ધારાસભ્યનું રક્ષણ છે. જેના કારણે તેઓએ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણ કર્યા છે. ગેરકાયદેસર અતિક્રમણ અને તોફાનીઓના બાંધકામની ઓળખ કરી તેના પર બુલડોઝર ચલાવવું જોઈએ. ભાજપના નેતાએ આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે MCD 20-21 એપ્રિલે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તેમણે જહાંગીરપુરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગણી કરી છે.

તોફાનીઓ નિશાને !

જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં હિંસા બાદ ગૃહ વિભાગ પણ ઘણી કડકાઈ લઈ રહ્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ તોફાનીઓ પર NSA લાદવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે 23મા આરોપીની ધરપકડ કરી છે. તેના પર તોફાનીઓને હથિયાર આપવાનો આરોપ છે. તો બીજીબાજુ, ગોળીબાર કરનાર સોનુને આજે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી, CCTV ફૂટેજમાં થયો ખુલાસો

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો આરોપી સોનુ ઈમામને રોહિણી કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Follow Us
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">