હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ

મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે, જહાંગીરપુરી (Jahangirpuri) વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું અભિયાન હાથ ધરશે. દિલ્લી મ્યુ. કોર્પોરેશન (MCD) આ અભિયાન દ્વારા અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી મિલકતોને તોડી પાડવામાં આવશે.

હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ
Operation with bulldozers on illegal construction (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:36 AM

Jahangirpuri Violence : દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) હનુમાન જયંતિ શોભા યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ (Delhi Police) ફુલ એક્શન મોડમાં છે. હવે યુપી અને મધ્યપ્રદેશની જેમ, દિલ્હીમાં પણ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર (Bulldozer) ચલાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડશે. ખાસ કરીને અતિક્રમણ કરનારાઓ સામે અભિયાન હાથ ધરાશે. આ દરમિયાન અતિક્રમણ દ્વારા બનાવવામાં આવેલી મિલકતોને જમીનદોસ્ત કરી દેવાશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પર અતિક્રમણ અભિયાન દરમિયાન, MCD એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે, દિલ્હી પોલીસ પાસેથી 400 કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને કાઉન્સિલરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે યુપી અને મધ્યપ્રદેશની જેમ જહાંગીરપુરીમાં પણ ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ પછી જ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોવાનું મનાય છે. આ જ કારણ છે કે 20-21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં દબાણ કરીને મિલકત ઊભી કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, સમગ્ર જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જગ્યા પચાવી પાડીને ગેરકાયદેસર કામ કરતા લોકો સામે MCD અને પોલીસ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

20-21 એપ્રિલે MCDની મોટી કાર્યવાહી

દિલ્હી બીજેપી અધ્યક્ષે પોતાના પત્રમાં કહ્યું હતું કે જહાંગીરપુરી હિંસાના તોફાનીઓ અને બદમાશોને સ્થાનિક AAP ધારાસભ્યનું રક્ષણ છે. જેના કારણે તેઓએ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણ કર્યા છે. ગેરકાયદેસર અતિક્રમણ અને તોફાનીઓના બાંધકામની ઓળખ કરી તેના પર બુલડોઝર ચલાવવું જોઈએ. ભાજપના નેતાએ આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે MCD 20-21 એપ્રિલે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તેમણે જહાંગીરપુરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગણી કરી છે.

તોફાનીઓ નિશાને !

જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં હિંસા બાદ ગૃહ વિભાગ પણ ઘણી કડકાઈ લઈ રહ્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ તોફાનીઓ પર NSA લાદવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે 23મા આરોપીની ધરપકડ કરી છે. તેના પર તોફાનીઓને હથિયાર આપવાનો આરોપ છે. તો બીજીબાજુ, ગોળીબાર કરનાર સોનુને આજે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી, CCTV ફૂટેજમાં થયો ખુલાસો

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો આરોપી સોનુ ઈમામને રોહિણી કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">