Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી
Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે.
Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે. હકીકતમાં મહામારીના કારણે સાઉદી સરકારે બીજા દેશના શ્રદ્ધાળુઓને હજ માટે આવવાની મંજૂરી આપી નથી. આ કારણે ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે આવેદન રદ્દ કરી દીધુ છે. એવામાં સાઉદી અરબમાં રહેનારા 60 હજાર લોકો આ વર્ષે હજની યાત્રા કરશે.
સાઉદી અરબે ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે બહારના તીર્થયાત્રીઓને હજમાં ભાગ લેવા પર રોક લગાવી દીધી છે. માત્ર સીમિત સંખ્યામાં ડોમેસ્ટિક તીર્થયાત્રીઓને હજ કરવાની અનુમતિ હતી. આ પ્રતિબંધ હાલના ઈતિહાસમાં આવી રીતનો પહેલો પ્રતિબંધ હતો.
All applications for Haj 2021 cancelled: Haj Committee of India pic.twitter.com/z1Pnnrz4Ha
— ANI (@ANI) June 15, 2021
થોડા દિવસો પહેલા સાઉદી અરબ તરફથી કહેવામાં આવ્યું હતુ કે યાત્રા જુલાઈના મધ્યમાં શરુ થશે. જેમાં 18થી65 વર્ષના સ્થાનીય લોકો ભાગ લઈ શકશે. સાથે સાઉદી અરબે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વર્ષે હજ પર આવનારા લોકોને કડક શરતોનું પાલન કરવુ પડશે. હજ માટે યાત્રીઓ માટે કોરોના વેક્સિન લેવી જરુરી રહેશે. વેક્સિન વગર હજ યાત્રાની અનુમતિ મળશે નહીં.
આપને જણાવી દઈએ કે મક્કામાં હજ માટે દર વર્ષે 20 લાખથી વધારે લોકો પહોંચે છે. જેમાંથી કેટલાક લોકો વિદેશથી આવે છે. કોરોના વાયરસ પહેલા 2019માં ભારતમાંથી 2 લાખ લોકો હજ માટે ગયા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા સાઉદી અરબે યાત્રીઓની સંખ્યાને સીમિત કરી દીધી છે.