AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે.

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 15, 2021 | 6:26 PM
Share

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે. હકીકતમાં મહામારીના કારણે સાઉદી સરકારે બીજા દેશના શ્રદ્ધાળુઓને હજ માટે આવવાની મંજૂરી આપી નથી. આ કારણે ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે આવેદન રદ્દ કરી દીધુ છે. એવામાં સાઉદી અરબમાં રહેનારા 60 હજાર લોકો આ વર્ષે હજની યાત્રા કરશે.

સાઉદી અરબે ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે બહારના તીર્થયાત્રીઓને હજમાં ભાગ લેવા પર રોક લગાવી દીધી છે. માત્ર સીમિત સંખ્યામાં ડોમેસ્ટિક તીર્થયાત્રીઓને હજ કરવાની અનુમતિ હતી. આ પ્રતિબંધ હાલના ઈતિહાસમાં આવી રીતનો પહેલો પ્રતિબંધ હતો.

થોડા દિવસો પહેલા સાઉદી અરબ તરફથી કહેવામાં આવ્યું હતુ કે યાત્રા જુલાઈના મધ્યમાં શરુ થશે. જેમાં 18થી65 વર્ષના સ્થાનીય લોકો ભાગ લઈ શકશે. સાથે સાઉદી અરબે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વર્ષે હજ પર આવનારા લોકોને કડક શરતોનું પાલન કરવુ પડશે. હજ માટે યાત્રીઓ માટે કોરોના વેક્સિન લેવી જરુરી રહેશે. વેક્સિન વગર હજ યાત્રાની અનુમતિ મળશે નહીં.

આપને જણાવી દઈએ કે મક્કામાં હજ માટે દર વર્ષે 20 લાખથી વધારે લોકો પહોંચે છે. જેમાંથી કેટલાક લોકો વિદેશથી આવે છે. કોરોના વાયરસ પહેલા 2019માં ભારતમાંથી 2 લાખ લોકો હજ માટે ગયા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા સાઉદી અરબે યાત્રીઓની સંખ્યાને સીમિત કરી દીધી છે.

આ પણ વાંચો: Gandhinagar Political News: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા BJP એક્શનમાં, સરકાર અને તેના પ્રતિનિધિઓની કામગીરી જનતા સામે મુકવા ઘડાઈ રણનીતિ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">