AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાહનના અકસ્માતોને રોકવા અને લોકોના જીવ બચાવવા માટે સરકાર રસ્તાઓનું ઓડિટ કરશે

ભારતમાં દર વર્ષે વાહનોના થતા અકસ્માતમાં હજારો લોકોના કરુણ મોત નિપજે છે. અકસ્માત થવાનું કારણ ડ્રાઈવરની ભૂલ, રસ્તા અને વાહનની ટેકનિકલ ખામી મુખ્યત્વે હોવાનું સામે આવ્યુ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર રસ્તાઓનુ ઓડીટ કરીને અકસ્માત ઝોનમાં આવતા માર્ગમાં જરુરી સુધારો કરી શકાય.

વાહનના અકસ્માતોને રોકવા અને લોકોના જીવ બચાવવા માટે સરકાર રસ્તાઓનું ઓડિટ કરશે
Cyrus Mistry Car Accident ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 8:14 AM
Share

રસ્તા પર થતા અકસ્માતો (Accident) રોકવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જ મુસાફરોના જીવ બચાવવા માટે રસ્તાઓનું ઓડિટ (Road audit) કરાવવા માટે પગલાં લેવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે મંગળવારે જણાવ્યું હતું કે રોડ એન્જિનિયરિંગ, વાહન ઉત્પાદન અને ઈમરજન્સી સેવાઓમાં સુધારો લાવવાના પ્રયાસોને સફળ બનાવવા માટે તમામ હિતધારકોના સહકારની જરૂર છે.

ગડકરીએ મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન આઈમાની રાષ્ટ્રીય પરિષદ સમયે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર માર્ગ સલામતીનું ઓડિટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેથી રસ્તાઓની ગુણવત્તામાં સુધારો કરી શકાય અને અકસ્માતો ઘટાડી શકાય.

તેમણે સપ્ટેમ્બરની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક ગણાવ્યું હતું. સાયરસ મિસ્ત્રીની સ્પીડમાં આવતી કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. રોડ સેફ્ટીના મુદ્દે ગડકરીએ કહ્યું કે આ અંગે લોકોને શિક્ષિત કરવા અને તેમનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે એમ પણ કહ્યું કે સરકાર વિવિધ અભિયાનો અને જાહેરાતો દ્વારા રસ્તાઓ પર લોકોની સુરક્ષા વધારવા માટે કામ કરી રહી છે. માર્ગ સલામતી આપણા બધા માટે એજન્ડામાં ટોચ પર છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેણે કહ્યું કે તે 28 સપ્ટેમ્બરે ફ્લેક્સ ફ્યુઅલનો ઉપયોગ કરીને ટેસ્ટ પ્લાનને ફ્લેગ ઓફ કરશે. આમાં ટોયોટાની નવી કારનો ઉપયોગ કરવામાં આવશે જે ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે વાહનોના થતા અકસ્માતમાં હજારો લોકોના કરુણ મોત નિપજે છે. અકસ્માત થવાનું કારણ ડ્રાઈવરની ભૂલ, રસ્તા અને વાહનની ટેકનિકલ ખામી મુખ્યત્વે હોવાનું સામે આવ્યુ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર રસ્તાઓનુ ઓડીટ કરીને અકસ્માત ઝોનમાં આવતા માર્ગમાં જરુરી સુધારો કરી શકાય. જેથી અકસ્માતનું પ્રમાણ ઘટાડીને લોકોના જીવ બચાવી શકાય.

Follow Us
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
g clip-path="url(#clip0_868_265)">