ધન તેરસે ભલે કોઈપણ ખરીદી શુકનવંતી કહેવાતી હોય પરંતુ આકરી મંદીની અસરથી ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ જેવી ચળકાટ જોવા ન મળ્યો હતો. એક તરફ મંદીનો માર અને સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચતા બજાર પર સીધી અસર જોવા મળી છે. સવારથી સોનાના શોરૂમમાં ખરીદી પાંખી દેખાઈ […]
Follow us on
ધન તેરસે ભલે કોઈપણ ખરીદી શુકનવંતી કહેવાતી હોય પરંતુ આકરી મંદીની અસરથી ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ જેવી ચળકાટ જોવા ન મળ્યો હતો. એક તરફ મંદીનો માર અને સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચતા બજાર પર સીધી અસર જોવા મળી છે. સવારથી સોનાના શોરૂમમાં ખરીદી પાંખી દેખાઈ છે. વેપારીઓ આશા રાખી બેઠા હતા કે લોકો ખરીદી કરવા આવશે પરંતુ ગત વર્ષની તુલનાએ ખરીદીમાં 30થી 35 ટકા જેટલો ઘટાડો નોંધાયો.