AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ

એરલાઇન ગો ફર્સ્ટ એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે.

GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:40 PM
Share

એરલાઇન ગો ફર્સ્ટએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન કંપનીએ 3 મેથી ફ્લાઇટ સેવા સ્થગિત કરી દીધી છે.

GoFirst ના રિઝોલ્યુશન પ્રોફેશનલે NCLTની દિલ્હી શાખામાં નવી પિટિશન દાખલ કરી છે જેમાં 3 મે અને ત્યાર પછીની મુસાફરી ટિકિટોની રકમ પરત કરવાની પરવાનગી માંગવામાં આવી છે. મહેન્દ્ર ખંડેલવાલ અને રાહુલ પી ભટનાગરની બનેલી NCLT બેન્ચ સોમવારે અરજી પર સુનાવણી કરશે. જો GoFirstને આ પરવાનગી મળશે તો તે મુસાફરોને મોટી રાહત થશે જેમના પૈસા ફસાયેલા છે.

અહીં, GoFirst એ જાહેરાત કરી છે કે તેમની ફ્લાઇટ્સ 31 જુલાઈ સુધી રદ રહેશે, ઓપરેશનલ અવરોધોને ટાંકીને. રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્થાનિક એરલાઇન કંપનીએ 3 મેથી કામગીરી બંધ કરી દીધી છે.

આ પણ વાંચો : મણિપુરથી પરત ફર્યા ‘I.N.D.I.A’ના નેતા, કહ્યું- સાંજ થાય એટ્લે ફાયરિંગ શરૂ થઈ જાય, રાષ્ટ્રપતિ શાસનની માગ

આ પહેલીવાર નથી, જ્યારે GoFirst એ તેના એરક્રાફ્ટની કામગીરી રદ કરી હોય. મે મહિનાની શરૂઆતમાં એરલાઈન કંપનીએ તેના એરક્રાફ્ટની ઉડાન રદ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ કહ્યું હતું કે તેણે 3 મે, 2023થી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ત્યારબાદ કંપનીની તમામ ફ્લાઈટ્સ 2 મહિનાથી વધુ સમયથી સતત બંધ રહી હતી. આ પછી, તેમણે 13 જુલાઈના રોજ ફરીથી માહિતી આપી હતી કે GoFirstની ફ્લાઈટ સેવાઓ 16 જુલાઈ સુધી રદ રહેશે. આ રીતે તમામ GoFirst ફ્લાઇટ્સ સતત 2 મહિના અને 13 દિવસ માટે રદ કરવામાં આવી હતી, જે હજુ પણ ચાલુ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">