AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ

એરલાઇન ગો ફર્સ્ટ એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે.

GoFirst એ મુસાફરોની ટિકિટના નાણાં પરત આપવા NCLTને કરી અરજી, 3 મેથી સંચાલનની કામગીરી છે બંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:40 PM
Share

એરલાઇન ગો ફર્સ્ટએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ને વિનંતી કરી છે કે તે 3 મેના રોજ અને તે પછી ટિકિટ બુક કરનારા મુસાફરોને પૈસા પરત કરવાની મંજૂરી આપે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન કંપનીએ 3 મેથી ફ્લાઇટ સેવા સ્થગિત કરી દીધી છે.

GoFirst ના રિઝોલ્યુશન પ્રોફેશનલે NCLTની દિલ્હી શાખામાં નવી પિટિશન દાખલ કરી છે જેમાં 3 મે અને ત્યાર પછીની મુસાફરી ટિકિટોની રકમ પરત કરવાની પરવાનગી માંગવામાં આવી છે. મહેન્દ્ર ખંડેલવાલ અને રાહુલ પી ભટનાગરની બનેલી NCLT બેન્ચ સોમવારે અરજી પર સુનાવણી કરશે. જો GoFirstને આ પરવાનગી મળશે તો તે મુસાફરોને મોટી રાહત થશે જેમના પૈસા ફસાયેલા છે.

અહીં, GoFirst એ જાહેરાત કરી છે કે તેમની ફ્લાઇટ્સ 31 જુલાઈ સુધી રદ રહેશે, ઓપરેશનલ અવરોધોને ટાંકીને. રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્થાનિક એરલાઇન કંપનીએ 3 મેથી કામગીરી બંધ કરી દીધી છે.

આ પણ વાંચો : મણિપુરથી પરત ફર્યા ‘I.N.D.I.A’ના નેતા, કહ્યું- સાંજ થાય એટ્લે ફાયરિંગ શરૂ થઈ જાય, રાષ્ટ્રપતિ શાસનની માગ

આ પહેલીવાર નથી, જ્યારે GoFirst એ તેના એરક્રાફ્ટની કામગીરી રદ કરી હોય. મે મહિનાની શરૂઆતમાં એરલાઈન કંપનીએ તેના એરક્રાફ્ટની ઉડાન રદ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ કહ્યું હતું કે તેણે 3 મે, 2023થી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ત્યારબાદ કંપનીની તમામ ફ્લાઈટ્સ 2 મહિનાથી વધુ સમયથી સતત બંધ રહી હતી. આ પછી, તેમણે 13 જુલાઈના રોજ ફરીથી માહિતી આપી હતી કે GoFirstની ફ્લાઈટ સેવાઓ 16 જુલાઈ સુધી રદ રહેશે. આ રીતે તમામ GoFirst ફ્લાઇટ્સ સતત 2 મહિના અને 13 દિવસ માટે રદ કરવામાં આવી હતી, જે હજુ પણ ચાલુ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">