AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udaipur Murder ગેહલોતના મંત્રી પ્રતાપ સિંહે કહ્યું- હત્યારાઓને તરત જ ફાંસી આપવી જોઈએ

ખાચરિયાવાસે ટ્વીટ કરીને લખ્યું, 'ઉદયપુરમાં યુવકની અમાનવીય હત્યાની સખત નિંદા કરુ છુ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા ફટકારીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

Udaipur Murder ગેહલોતના મંત્રી પ્રતાપ સિંહે કહ્યું- હત્યારાઓને તરત જ ફાંસી આપવી જોઈએ
Pratap Singh Khachariawas,
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 12:48 PM
Share

ઉદયપુરમાં એક દરજીની નિર્મમ હત્યા બાદ સમગ્ર રાજસ્થાન રાજ્યમાં તણાવનું વાતાવરણ છે. રાજસ્થાન સરકારે સાવચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આઈપીસીની કલમ 144 લાગુ કરી છે. તો બીજીબાજુ ઈન્ટરનેટ સેવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. દરમિયાન, નુપૂર શર્માની (nupur sharma) ટિપ્પણીને લઈને ઉદેપુરમાં કરાયેલ હત્યાને લઈને હવે રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ચૂકી છે. જો કે આ મામલે અશોક ગેહલોત સરકારના મંત્રીઓ પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. ગેહલોતના કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે (Pratap Singh Khachariawase) કહ્યું છે કે દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ. તેણે કહ્યું, ‘હું ગુસ્સાથી ઉકળી રહ્યો છું, ગુનેગારોને તાત્કાલિક ગોળી મારી દેવી જોઈએ.’ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ખાચરિયાવાસે ટ્વીટ કરીને લખ્યું, ‘ઉદયપુરમાં યુવકની અમાનવીય હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા ફટકારીને તમામને ફાંસી આપવી જોઈએ.

કન્હૈયા લાલે નોંધાવેલી FIRમાં શું?

મૃતક કન્હૈયા લાલે 15 જૂનના રોજ ધનમંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. તેમણે ધમકી આપનારા અને પોતાના માટે રક્ષણ માંગનારાઓ સામે પગલાં લીધા. તેમણે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દુકાનમાં આવ્યા અને તેનો મોબાઈલ માંગ્યો. તે લોકોએ કહ્યું કે તમે કેટલીક પોસ્ટ શેર કરી છે. એફઆઈઆર મુજબ કન્હૈયાએ કહ્યું કે મને ફોન કેવી રીતે ઓપરેટ કરવો તે આવડતું નથી, મારો 8 વર્ષનો દીકરો છે જે મોબાઈલ પર ગેમ રમે છે, તે ભૂલથી તેની સાથે શેર થઈ ગયો હોઈ શકે છે. આ પછી, 11 જૂને, પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે કન્હૈયા લાલ પોલીસ સ્ટેશન ગયો તો તેને ખબર પડી કે પાડોશીએ કેસ દાખલ કર્યો છે. પાડોશી 3 દિવસથી 5 લોકો સાથે દુકાનની રેકી કરતો હતો. તેણે કન્હૈયા લાલનો ફોટો, નામ, સરનામું વોટ્સએપ ગ્રુપ પર મૂક્યું હતું. આમાં તેણે કન્હૈયાના ફોટો સાથે લખ્યું- જ્યાં પણ મળે તેને મારી નાખો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">