AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદીની ગેરંટી: આ પાંચ કારણ કે જેની સામે જાદુગર ગેહલોતનો જાદુ ફેલ, પીએમ મોદી પર ભરોસાના જાદુએ રાજસ્થાનમાં અપાવી બહુમતી

200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 2018ની ચૂંટણીમાં ભાજપે ટોંકથી સચિન પાયલટ સામે યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. ભાજપે પણ ત્રણ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર સંતોને મેદાનમાં ઉતાર્યા છે.

મોદીની ગેરંટી: આ પાંચ કારણ કે જેની સામે જાદુગર ગેહલોતનો જાદુ ફેલ, પીએમ મોદી પર ભરોસાના જાદુએ રાજસ્થાનમાં અપાવી બહુમતી
5 reasons for BJP victory in Rajasthan
| Updated on: Dec 03, 2023 | 2:46 PM
Share

રાજસ્થાનમાં ભાજપનું પુનરાગમન થઈ રહ્યું છે, છેલ્લા 25 વર્ષથી ચાલી આવતી પરંપરા આ વખતે પણ બદલાઈ નથી અને કોંગ્રેસ બાદ ફરી એકવાર ભાજપની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. હાલમાં જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે અને તેને બહુમતી મળતી દેખાઈ રહી છે.

રાજસ્થાનમાં આ વખતે 200માંથી 199 બેઠકો માટે મતદાન થયું હતું, જે મુજબ બહુમત માટે 100 બેઠકો જરૂરી છે. કોંગ્રેસ આ આંકડાથી ઘણી પાછળ રહી ગઈ છે અને ગેહલોત સરકારનો જાદુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ત્યારે આ કારણોના લીધે ભાજપે રાજસ્થાનમાં બહુમતી મેળવી

મોદી મેજિકની સરખામણીમાં અશોક ગેહલોતનો જાદુ ના ચાલ્યો

રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે પીએમ મોદીનો ચહેરો આગળ રાખ્યો અને આ વખતે જબરદસ્ત બહુમતી મેળવી છે. ભાજપે પીએમના ચહેરા પર ચૂંટણી લડી અને સીએમના નામની જાહેરાત ન કરી, પીએમએ પોતે 15 રેલીઓ કરી, બિકાનેર અને જયપુરમાં રોડ શો પણ કર્યા.પ્રચાર દરમિયાન પીએમએ ગહેલોત સરકાર પર ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના આરોપ લગાવીને ઘેર્યા.

બીજેપીનું ફરી ચાલ્યુ હિન્દુત્વનું કાર્ડ

200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 2018ની ચૂંટણીમાં ભાજપે ટોંકથી સચિન પાયલટ સામે યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. ભાજપે પણ ત્રણ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર સંતોને મેદાનમાં ઉતાર્યા છે. જયપુરની હવા મહેલ બેઠક પરથી સંત બાલ મુકુંદ આચાર્યને ટિકિટ આપી, જ્યારે અલવરની તિજારા બેઠક પરથી બાબા બાલકનાથ પર દાવ લગાવ્યો. બાલકનાથ પોતાને રાજસ્થાનના યોગી કહે છે. ખુદ સીએમ યોગી પણ તેમના પ્રચાર માટે તિજારા પહોંચ્યા હતા. પાર્ટીએ પોકરણ સીટ પરથી મહંત પ્રતાપપુરીને ટિકિટ આપી.

કન્હૈયા લાલ હત્યા કેસનો મુદ્દો ઉઠાવ્યો

રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે પણ કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો. આ બહાને ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવીને તેને ઘેરવાનો પ્રયાસ કર્યો. જૂન 2022માં થયેલા હત્યાકાંડના બહાને બીજેપીએ ફરી અહીં જાતિવાદી કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો.

ભાજપે પેપર લીકને મુદ્દો બનાવી કોંગ્રેસને ઘેરી લીધી

પેપર લીકનો મુદ્દો પણ રાજસ્થાન સરકાર માટે ગળાનો કાંટો બની ગયો હતો. સચિન પાયલોટે પોતે પણ ચૂંટણી પહેલા પોતાની સરકારને ઘેરી હતી અને રાજસ્થાનમાં ભરતી પરીક્ષાઓના પેપર લીકની તપાસની માંગ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં અનેક પરીક્ષાના પેપર લીક થયા છે, જેના કારણે રાજ્યના લાખો બેરોજગારો પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપે ચૂંટણીમાં આ મુદ્દો ઘણો ઉઠાવ્યો અને સરકારને ભીંસમાં લીધી.

લાલ ડાયરી પર કોંગ્રેસ ઘેરી

ભાજપે પણ આ ચૂંટણીમાં લાલ ડાયરીને મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પીએમ મોદીએ પોતાની ચૂંટણી સભાઓમાં લાલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો. જુલાઈ મહિનામાં અશોક ગેહલોત સરકારના બરતરફ મંત્રી રાજેન્દ્ર ગુડા લાલ ડાયરી લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને ગેહલોત સરકાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ ભાજપને મોટો મુદ્દો મળ્યો અને ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા.

રિવાજો બદલાયા નથી

1998થી એટલે કે છેલ્લા 25 વર્ષથી રાજસ્થાનની પરંપરા રહી છે કે દરેક ચૂંટણીમાં સત્તા બદલાય છે, આટલા વર્ષોમાં માત્ર બે જ મુખ્યમંત્રી રહ્યા છે, કોંગ્રેસમાંથી અશોક ગેહલોત અને બીજેપીમાંથી વસુંધરા રાજે, આ બંને મુખ્યમંત્રી રહ્યા છે. એક પછી એક સીએમ પદ સંભાળી રહ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">