ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણમાં ચીની સેનાનો કમાન્ડિંગ ઓફિસર પણ ઠાર, આદત મુજબ ચીને મોતનાં આંકડા છુપાવવાનું શરૂ કર્યું
ગલવાન ઘાટીમાં થયેલી ઝડપમાં ચીનનાં પક્ષે પણ મોટું નુક્શાન થયું છે. ચીની સેનાનાં કમાન્ડીંગ ઓફિસર પણ અથડામણમાં ઠાર મરાયો છે. અત્યાર સુધીમાં 35 કરતા વધારે ચીની સૈનિકો ઘટનામાં મોતને ભેટ્યા છે પરંતુ ચીનની સરકાર મોતનાં આંકડા છુપાવી રહી છે. આ સાથે જ ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે હિંસક ઝપાઝપી થઈ તેમાં એક […]
ગલવાન ઘાટીમાં થયેલી ઝડપમાં ચીનનાં પક્ષે પણ મોટું નુક્શાન થયું છે. ચીની સેનાનાં કમાન્ડીંગ ઓફિસર પણ અથડામણમાં ઠાર મરાયો છે. અત્યાર સુધીમાં 35 કરતા વધારે ચીની સૈનિકો ઘટનામાં મોતને ભેટ્યા છે પરંતુ ચીનની સરકાર મોતનાં આંકડા છુપાવી રહી છે. આ સાથે જ ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે હિંસક ઝપાઝપી થઈ તેમાં એક નવો જ મોડ સામે આવ્યો છે… સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર ગલવાન ઘાટીમાં રાતના અંધારામાં થયેલી ઝપાઝપીમાં કેટલાક સૈનિક નદી કે ખાઈમાં પડવાથી શહીદ થયા છે… ચીનના સૈનિક કાંટાળા તારને લાકડી પર વિંટી લોખંડના સળીયા લઈને આવ્યા હતા અને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો… આ ઘટનામાં ભારતના લગભગ 20 સૈનિક શહીદ થયા છે અને ચીનને પણ ભારે નુકસાન થયું છે… ચીનના 35 કરતા વધારે સૈનિકના મોત થયા છે…. ઉચ્ચ અધિકારીઓના સુત્રો અનુસાર ચીનના સૈનિકોને વધારે નુકસાન થવાની પણ શક્યતા છે… માહિતી અનુસાર ચીન તરફની વાતચીતને બંધ કરવામાં આવી છે તેના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે…