AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુર હિંસા અને પ્રધાનમંત્રીના EU પ્રવાસને લઈ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી અંગે જય કિશન રેડ્ડીએ કર્યા પ્રહાર

મણિપુરમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે એક તરફ રાજ્ય સળગી રહ્યું છે, પરંતુ વડાપ્રધાન ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં વ્યસ્ત છે. જેનો વળતો જવાબ પ્રવાસન મંત્રી જય કિશન રેડ્ડીએ આપ્યો છે. 

મણિપુર હિંસા અને પ્રધાનમંત્રીના EU પ્રવાસને લઈ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી અંગે જય કિશન રેડ્ડીએ કર્યા પ્રહાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:14 PM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ફ્રાન્સ સાથેની નવી રાફેલ ડીલ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું કે મણિપુર સળગી રહ્યું છે, યુરોપિયન યુનિયન સંસદમાં ભારતની આંતરિક બાબતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ વડાપ્રધાન ફ્રાન્સની ‘બેસ્ટીલ ડે’ પરેડમાં વ્યસ્ત છે અને રાફેલ ડીલ કરી રહ્યા છે.

પીએમ મોદી 13-14 જુલાઈ સુધી ફ્રાંસના પ્રવાસે હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિશેષ આમંત્રણ પર, વડા પ્રધાને મુખ્ય અતિથિ તરીકે ‘બેસ્ટિલ ડે’ પરેડમાં હાજરી આપી હતી. ત્યાં તેણે ઘણી ડીલ પણ કરી હતી જેમાં 26 નવા રાફેલ ખરીદવાનો કરાર થયો હતો. આ સિવાય 3 સબમરીન ખરીદવાનો મામલો પણ સામે આવ્યો છે.

EU સંસદમાં ભારતનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

મણિપુરમાં હિંસા માટે છેલ્લા ઘણા મહિનાઓથી યુરોપિયન સંસદ (EU)માં મોદી સરકારની ટીકા થઈ રહી છે. આ અંગે યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો. ભારતે પણ આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમે ભારતની આંતરિક બાબતોમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકારીશું નહીં. ભારત આવી બાબતો પર પહેલાથી જ પોતાનું કડક વલણ અપનાવી ચુક્યું છે.

મણિપુર કેમ સળગી રહ્યું છે?

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક સુરક્ષા દળના જવાનો પણ સામેલ છે. રાજ્યમાં જાતિય રમખાણો થયા પછી પરિસ્થિતિ વધુ વણસી, જેણે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મણિપુરમાં હિંસા મુખ્યત્વે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે થઈ રહી છે. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી, પરંતુ હજુ પણ સ્થિતિ સામાન્ય થતી જણાતી નથી. EU એ આ મુદ્દાઓ અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો : Delhi ના બારાખંબા વિસ્તારમાં DCM બિલ્ડીંગમાં ભીષણ લાગી આગ

જોકે આ તમામ બાબતો વચ્ચે ભારતના પ્રવાસન મંત્રી જય કિશન રેડ્ડીએ રાહુલ ગાંધી દ્વારા કરેલા ટ્વિટનો વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતની આંતરિક બાબતો વિષે બોલવાનો કોઈને અધિકાર નથી. અને તેમાં પણ જયરે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે તેમાં રાજકારણ આવવું નહિ જોઇયે તેવું ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">