AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fodder Scam: લાલુ પ્રસાદ યાદવ ફરી મુશ્કેલીમાં ફસાઈ શકે છે, રાંચીની સ્પેશિયલ કોર્ટ આજે ચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવશે

આ કેસના અન્ય મુખ્ય આરોપીઓમાં પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડૉ. આર.કે. રાણા, બિહારના તત્કાલીન પશુપાલન સચિવ બેક જુલિયસ અને પશુપાલન વિભાગના સહાયક નિયામક કે.એમ. પ્રસાદનો સમાવેશ થાય છે.

Fodder Scam: લાલુ પ્રસાદ યાદવ ફરી મુશ્કેલીમાં ફસાઈ શકે છે, રાંચીની સ્પેશિયલ કોર્ટ આજે ચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવશે
Lalu Prasad Yadav (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 9:54 AM
Share

Fodder Scam: દેશના પ્રખ્યાત ચારા કૌભાંડ (ચારા ઘોટાળા)ના ડોરાન્ડા ટ્રેઝરી કેસનો નિર્ણય મંગળવારે આવશે. આ કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિત કુલ 99 લોકો આરોપી છે. આ મામલામાં રાંચી સ્થિત સીબીઆઈની વિશેષ અદાલત પોતાનો ચુકાદો આપશે. લાલુ પ્રસાદ યાદવ સહિત તમામ 99 આરોપીઓ આજે કોર્ટમાં હાજર રહેશે. આ કેસની સુનાવણી માટે લાલુ 24 કલાક પહેલા રાંચી પહોંચી ગયા હતા.તેઓ રાંચીના સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવને ઝારખંડમાં ચારા કૌભાંડના કુલ પાંચ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ચાર મામલામાં ચુકાદો આપવામાં આવી ચુક્યો છે અને આ તમામ કેસમાં કોર્ટે તેને દોષિત ઠેરવી સજા સંભળાવી છે.

આ મામલામાં લાલુ પ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે ચારા કૌભાંડના ચાર મામલામાં લાલુ પ્રસાદ યાદવ અને અન્યને સજા થઈ ચૂકી છે. પાંચેય કેસમાં એક જ સાક્ષી અને દસ્તાવેજો છે અને તેના આધારે ચાર કેસમાં અલગ-અલગ મુદતની સજા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં, તે જ સાક્ષીઓ અને દસ્તાવેજો નક્કી કરવાના રહેશે. આવી સ્થિતિમાં શું ચુકાદો આવશે તે કહેવું મુશ્કેલ છે.

આ કેસના અન્ય મુખ્ય આરોપીઓમાં પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડૉ. આર.કે. રાણા, બિહારના તત્કાલીન પશુપાલન સચિવ બેક જુલિયસ અને પશુપાલન વિભાગના સહાયક નિયામક કે.એમ. પ્રસાદનો સમાવેશ થાય છે. આ કેસની સુનાવણી દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 575 લોકોએ જુબાની આપી હતી, જ્યારે બચાવ પક્ષ તરફથી 25 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પહેલા લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના ચાર કેસમાં કુલ સાડા 27 વર્ષની સજા થઈ હતી, જ્યારે તેમને એક કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો હતો. આ કેસોમાં સજાને કારણે આરજેડી સુપ્રીમોને અડધો ડઝનથી વધુ વખત જેલમાં જવું પડ્યું છે. આ તમામ કેસમાં તેને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. ચારા કૌભાંડનો પહેલો કેસ ચાઈબાસાના તત્કાલિન ડેપ્યુટી કમિશનર અમિત ખરેના આદેશ પર નોંધવામાં આવ્યો હતો.ચાઈબાસામાં તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે 37.7 કરોડ રૂપિયા ઉપાડવાના આ કેસમાં લાલુ યાદવ સહિત 44 આરોપી હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">