Bengal Corona Updates: કોરોના સામે મમતા સરકારનું કડક વલણ, 3 જાન્યુઆરીથી બ્રિટનથી કોલકાતા આવતી ફ્લાઇટ પર લગાવી રોક

નવા વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં કોરોના બ્લાસ્ટ થયો છે. છેલ્લા ઘણા મહિનાઓથી, સંક્રમિતોની સંખ્યા 400 થી 500 ની વચ્ચે રહી હતી, પરંતુ અચાનક તે એક હજારને વટાવી ગઈ છે

Bengal Corona Updates: કોરોના સામે મમતા સરકારનું કડક વલણ, 3 જાન્યુઆરીથી બ્રિટનથી કોલકાતા આવતી ફ્લાઇટ પર લગાવી રોક
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:00 PM

પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા (Home Secretary BP Gopalika) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3 જાન્યુઆરીથી બંગાળમાં બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે (Ban on flights from Britain to Bengal from January 3).

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન ચેપ (new type of corona Omicron) ના કેસોમાં સતત વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Union Health Secretary Rajesh Bhushan) રાજ્યના આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે અને સંક્રમણને રોકવા માટે નક્કર પગલાં ભરવાની સૂચના આપી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા (CM Mamata Banerjee ) એ કહ્યું કે ઓમિક્રોનના મોટાભાગના મામલા એવા લોકોમાં સામે આવી રહ્યા છે જેઓ યુકેથી ફ્લાઈટ દ્વારા અહીં પહોંચી રહ્યા છે. એ વાત સાચી છે કે ઈન્ટરનેશનલ પ્લેનમાંથી આવતા લોકો જ ઈન્ફેક્શન લાવી રહ્યા છે. સરકારે એવા દેશોમાંથી આવતા એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જ્યાં આ વેરિઅન્ટના કેસ ખૂબ વધારે છે.

બીપી ગોપાલિકા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટન જોખમ ધરાવતા દેશોમાં સામેલ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે પણ વિદેશથી આવશે. તેઓએ પોતાના ખર્ચે એરપોર્ટ પર ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન 10 ટકા મુસાફરો પર રેન્ડમ ધોરણે RT-PCR ટેસ્ટ કરશે, જ્યારે બાકીના 90 ટકા મુસાફરો માટે RAT ટેસ્ટ કરવામાં આવશે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ આ મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવશે. જો જરૂરી હોય તો, જે લોકો RAT ટેસ્ટ કરાવે છે. તેઓ પછીથી RT-PCR ટેસ્ટ પણ કરાવી શકે છે. મુસાફરોએ કોરોના પ્રોટોકોલના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

બંગાળમાં કોરોના સંક્રમણ વધ્યું નવા વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં કોરોના બ્લાસ્ટ થયો છે. છેલ્લા ઘણા મહિનાઓથી, સંક્રમિતોની સંખ્યા 400 થી 500 ની વચ્ચે રહી હતી, પરંતુ અચાનક તે એક હજારને વટાવી ગઈ છે. આ સિવાય એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી હતી, પરંતુ બુધવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ 24 કલાક દરમિયાન એક્ટિવ દર્દીઓની સંખ્યામાં લગભગ સાડા ત્રણસોનો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોલકાતાની સ્થિતિને ચિંતાજનક ગણાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આ અંગે રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો છે.

આ પણ વાંચો: જાહેર કાર્યક્રમમાં માસ્ક ન પહેરવા પર સંજય રાઉતે કહ્યું, ‘હું વડાપ્રધાનને ફોલો કરું છું’

આ પણ વાંચો: 22 રાજ્યોમાં પહોચ્યો ઓમિક્રોન, 24 કલાકમાં નવા 180 કેસ, 10 રાજ્યોમાં મોકલાઈ કેન્દ્રીય ટીમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">