AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Kharagpur Fire: IIT ખડગપુરમાં ભીષણ આગ, કોમન રૂમ બળીને ખાખ

પશ્ચિમ બંગાળ સ્થિત IIT ખડગપુરમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં IITનો કોમન રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. સંસ્થાએ આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

IIT Kharagpur Fire: IIT ખડગપુરમાં ભીષણ આગ, કોમન રૂમ બળીને ખાખ
સાંકેતિક ફોટોImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:12 AM
Share

Kolkata: ખડગપુર IITમાં મધરાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગમાં એલબીએસ હોલ કોમન રૂમમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને સામાન બળીને રાખ થઈ ગયા હતા. બાદમાં ખડગપુર અને સલુઆના ફાયર ટેન્ડરોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ IIT ખડગપુરના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટમાં હોબાળો મચી ગયો હતો. સંસ્થાએ આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: France Protest: ફ્રાન્સમાં હિંસામાં 200 પોલીસકર્મીઓ ઘાયલ, 1300ની ધરપકડ, સેંકડો ઘરોને આગ લગાવી

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે લગભગ ત્રણ વાગ્યા હતા. IIT ખડગપુર કેમ્પસના વિદ્યાર્થીઓ ઊંઘી રહ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી હોલના કોમન રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં વિદ્યાર્થીઓના પલંગ સહિતની ઘણી વસ્તુઓ હતી. આગમાં તેમાં ઘણુ નુકસાન થયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સવારે એલબીએસ હોલનો કોમન રૂમ કાળા ધુમાડાથી ભરાઈ ગયો હતો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ પછી ખડગપુર અને સલુઆના બે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા અને લગભગ એક કલાક સુધી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો.

આગની ઘટના બાદ IIT ખડગપુરના ઉચ્ચ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્થળ પર જઈને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

IIT ખડગપુરની આગથી હડકંપ મચી ગઈ હતી

જો કે કોમન રૂમની અંદરનો સામાન બળીને રાખ થઈ ગયો છે પરંતુ તેમ છતાં વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાની ફાયર ફાઈટિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠી રહ્યા છે. ફાયર ફાઈટિંગ સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યા છે.

આ આગ કેવી રીતે લાગી?

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા ખડગપુર આઈઆઈટીના હેલીપેડ વિસ્તારમાં આગ લાગી હતી. તે સમયે આગ કેમ્પસના લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ બનાવથી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. આ આગ કેવી રીતે લાગી? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

થોડા સમય પહેલા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ખડગપુર આઈઆઈટીમાં ઈન્ટર્નશિપ માટે આવેલા વિદ્યાર્થી સૂર્ય દીપનનો મૃતદેહ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેદિનીપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

તે વિદ્યાર્થીના મોતના કારણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવી જ રીતે આસામના એક વિદ્યાર્થીના મોતના મામલામાં શૈક્ષણિક સંસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. SIT મોતની તપાસ કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">