ભોપાલ ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ (Digvijay Singh) વિરુદ્ધ ધાર્મિક ઉન્માદ ફેલાવવા બદલ કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર મધ્યપ્રદેશના ખરગોન (Khargone violence) અને બરવાની જિલ્લાના સેંધવામાં પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ખરગોનમાં વધી રહેલા તણાવને કારણે કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે મંગળવારે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં એક યુવક ધાર્મિક સ્થળ પર ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે. આ ટ્વીટ પરની ટિપ્પણીઓએ સાંપ્રદાયિક રંગ લેવાનું શરૂ કર્યું હતું. આ પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Chief Minister Shivraj Chauhan) ટ્વિટ કર્યું હતું કે દિગ્વિજય સિંહ દ્વારા ટ્વિટ કરીને ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દિગ્વિજય સિંહે જે ફોટો ટ્વિટમાં વાપર્યો છે તે મધ્યપ્રદેશનો નથી. આ પછી દિગ્વિજય સિંહે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું. આ બાબતને લઈને ભાજપના કાર્યકરો ભોપાલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા અને પ્રદર્શન કર્યું. આ પછી પોલીસે ચિત્તોડ કોમ્પ્લેક્સના રહેવાસી પ્રકાશ માંડેની ફરિયાદ પર દિગ્વિજય સિંહ સામે કેસ નોંધ્યો હતો. પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કરે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
– 153(a): કોઈપણ ધર્મ અથવા સંપ્રદાય વિરુદ્ધ ધાર્મિક લાગણીઓનું એવુ કૃત્ય કે, જે લોકોમાં અશાંતિ અથવા અવરોધનું કારણ બને છે. આ કલમ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.
– 295(a): ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અંગેની કલમ.
– 505 (2): બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, નફરતની લાગણી ઉભી કરવાના ઈરાદાથી કરાયેલ ખોટુ નિવેદન, આ કલમ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ