AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું પાલન કરશે, 21 માર્ચે સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની ખાતરી આપ્યા બાદ ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું હતું. જો કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે, પરંતુ ખેડૂતો સાથે કરેલા વચનો હજુ સુધી પૂરા થયા નથી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું પાલન કરશે, 21 માર્ચે સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
Farmers Protest - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 7:55 PM
Share

ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું (MSP Guarantee Week) પાલન કરશે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે લખીમપુર ઘટનામાં સરકારની ભૂમિકા અને ખેડૂતોના આંદોલન (Farmers Protest) દરમિયાન આપવામાં આવેલા આશ્વાસનોને લઈને 21 માર્ચે દેશવ્યાપી વિરોધ કરવામાં આવશે. ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલ ખેડૂતોનું આંદોલન 378માં દિવસે સમાપ્ત થયું. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની ખાતરી આપ્યા બાદ ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું હતું. જો કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે, પરંતુ ખેડૂતો સાથે કરેલા વચનો હજુ સુધી પૂરા થયા નથી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લાંબા ગાળાના આંદોલનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ઘણી વખત આંદોલન નબળું પડતું જોવા મળ્યું, ત્યારબાદ તેના નેતાઓએ ફરી આંદોલન સંભાળ્યું. આંદોલનમાં યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ વડીલોના નિર્ણયો પર યુવાનોની ધીરજ પણ આટલા લાંબા સમય સુધી આંદોલન ચલાવવામાં મદદરૂપ થઈ હતી. આંદોલનના નેતાઓમાં મતભેદો હતા, પરંતુ મોરચો અડગ રહ્યો હતો. સરકાર તરફથી સત્તાવાર પત્ર મળતાં કિસાન મોરચાની સરકાર સાથે સમજૂતી થઈ હતી.

કૃષિ કાયદો બિલ 14 સપ્ટેમ્બર 2020 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ, કૃષિ કાયદો બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ પસાર થયું હતું. આ પછી દેશભરમાં ખેડૂતોનો વિરોધ શરૂ થયો. 27 સપ્ટેમ્બર 2020 ના રોજ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા બિલ પર હસ્તાક્ષર કર્યા.

આ પછી આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) અધિનિયમ, 2020, કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ, 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ અધિનિયમ, 2020 પરના કરાર દ્વારા અનુસરવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું. 9 ડિસેમ્બરે ખેડૂતોને સરકાર તરફથી એક પત્ર મળ્યો. જે બાદ એસકેએમએ બેઠક કરીને આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

3જી ઓક્ટોબરે લખીમપુરની ઘટના

3 ઓક્ટોબરે લખીમપુરમાં ચાર ખેડૂતો, એક પત્રકાર, એક ડ્રાઈવર અને બે બીજેપી કાર્યકર્તાઓના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર ઉત્તર પ્રદેશને હચમચાવી નાખ્યું હતું. ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા હતા. રાજકારણ પણ જોરશોરથી ચાલી રહ્યું હતું. આ ઘટનાનો આરોપ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને લખીમપુરના સાંસદ અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર લગાવવામાં આવ્યો હતો. વિપક્ષ સતત અજય મિશ્રાને હટાવવાની માગ કરી રહ્યો હતો. જે બાદ પોલીસે આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.

આ પણ વાંચો : Weather Alert: સમગ્ર દેશમાં આ વખતે પડશે વધારે ગરમી, ‘લૂ’ અંગે પણ એલર્ટ જાહેર, જાણો જુદા-જુદા રાજ્યોની સ્થિતિ

આ પણ વાંચો : ABG શિપયાર્ડ કૌભાંડમાં ICICI બેંકના 7089 કરોડ રૂપિયા ડૂબી ગયા, સરકારે સંસદમાં આપી સંપૂર્ણ માહિતી

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">