AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmer’s Protest: ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાના નિર્ણય પર ગુરુવારે સંયુક્ત મોરચાની મળશે બેઠક, સરકારના નવા પ્રસ્તાવ પર બને છે સંમતિ

SKM કોર કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ચધુનીએ કહ્યું, “અમે અમારી માંગણીઓ પર સરકાર સાથે સંમત છીએ.

Farmer's Protest: ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાના નિર્ણય પર ગુરુવારે સંયુક્ત મોરચાની મળશે બેઠક, સરકારના નવા પ્રસ્તાવ પર બને છે સંમતિ
ખેડૂત આંદોલન ફાઇલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:48 PM
Share

Farmer’s Protest:સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha) એ બુધવારે જણાવ્યું હતું કે તેમની પડતર માંગણીઓ પર કેન્દ્રના દરખાસ્તના તાજેતરના મુસ્સદ્દા પર સર્વસંમતિ સધાઈ છે અને આંદોલન માટેની ભાવિ વ્યૂહરચના નક્કી કરવા ગુરુવારે એક બેઠક યોજાવાની છે. જો કે, સંયુક્ત કિસાન મોરચા (SKM) નેતાઓ સરકાર પાસેથી ‘લેટરહેડ’ પર ઔપચારિક સંવાદની માંગ કરી રહ્યા છે. ખેડૂત નેતા અને SKM કોર કમિટીના સભ્ય ગુરનામ સિંહ ચદુની (Gurnam Singh Chaduni) એ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પડતર માંગણીઓ અંગે અગાઉ મળેલી દરખાસ્તનો ડ્રાફ્ટ સ્વીકાર્ય નથી, ત્યારબાદ કેન્દ્રએ બુધવારે દરખાસ્તનો નવો ડ્રાફ્ટ મોકલ્યો છે.

SKM કોર કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ચધુનીએ કહ્યું, “અમે અમારી માંગણીઓ પર સરકાર સાથે સંમત છીએ. આવતીકાલની બેઠક બાદ અમે આંદોલન સ્થગિત કરવા અંગે નિર્ણય લઈશું. આંદોલન પાછું ખેંચવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. SKM આવતીકાલે (ગુરુવારે) બપોરે 12 વાગ્યે બીજી બેઠક કરશે.

ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા SKMએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ખેડૂતોની માંગણીઓને લઈને કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ પર સર્વસંમતિ સધાઈ છે. SKM એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરકારના નવીનતમ પ્રસ્તાવ પર સર્વસંમતિ સધાઈ છે. હવે સરકારના લેટરહેડ પર ઔપચારિક સંચારની રાહ જોવાઈ રહી છે. SKM આવતીકાલે બપોરે 12 વાગ્યે સિંઘુ બોર્ડર (Singhu Border) પર ફરી મળશે, ત્યાર બાદ મોરચો વધારવા અંગે ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.

એસકેએમએ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી SKM એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે આંદોલનને સમાપ્ત કરવાના સરકારના પ્રસ્તાવનો પ્રતિસાદ આપ્યો છે, અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે. જેમાં ખેડૂતો સામે નોંધાયેલા ‘બનાવટી’ કેસ પાછા ખેંચવા માટેની પૂર્વ શરત પર પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. SKM, જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યું છે, તેણે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસર ગેરંટી, ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર, કેસ પાછા ખેંચવા માટેની પડતર માંગણીઓ પર સરકાર સાથે વાતચીત કરી છે. આ માટે શનિવારે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં વધુ 10 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, રાજ્યમાં 20 અને દેશમાં થયા 33 કેસ

આ પણ વાંચો: ફિચર ફોન પર UPI કેવી રીતે કામ કરશે, RBI ગવર્નરે આપ્યો જવાબ, જાણો તેની સાથે જોડાયેલી તમામ બાબતો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">