Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે.

Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન
Rakesh Tikait (File Image)
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 12:02 AM

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે. આ અગાઉ ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટીકૈતે ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓ અહીં આવી શકતા નથી, તેમણે શનિવારે તેમના સ્થળોએ શાંતિથી ચક્કાજામ કરી વિરોધ દર્શાવવો. આ સાથે જ રાકેશ ટીકૈતે કહ્યું કે 6 ફેબ્રુઆરીએ થનારો ચક્કાજામ દિલ્હીમાં નહીં થાય.

દિલ્હી પોલીસનો કડક બંદોબસ્ત

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામના અહેવાલોની વચ્ચે દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે જણાવ્યું છે કે વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચક્કાજામની દરખાસ્ત કરી છે. આવી સ્થિતિમાં જો 26 જાન્યુઆરીની જેમ પરિસ્થિતિઓ ઉભી ન થાય અને દિલ્હીની બોર્ડરથી કોઈ અસામાજિક તત્વો અંદર ન પ્રવેશે તે માટે દિલ્હી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોના ચક્કાજામને લઈને બેઠક યોજી હતી. પોલીસ કમિશ્નરની બેઠકમાં દિલ્હી પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી પોલીસ કમિશ્નરએસ.એન. શ્રીવાસ્તવે ચક્કાજામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ અંગેનું અવલોકન કર્યું હતું.

ટીકરી બોર્ડર પર પોલીસની તૈયારી

દિલ્હીમાં ખેડૂતોના ચક્કાજામને લઈને ટીકરી બોર્ડર પર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે બેરિકેટ દ્વારા એક વાડ ઉભી કરી દીધી છે, જેના પર કાંટાળા તાર બાંધવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રદર્શનકારી દિલ્હીમાં કોઈપણ રીતે પ્રવેશ કરી શકે નહીં. આ સાથે પોલીસે રસ્તા પર સિમેન્ટ લગાવી દીધો છે અને તેના પર ખીલાઓ ખોસી દીધા, જેથી ટ્રેક્ટર અથવા અન્ય કોઈ વાહન લઈને કોઈ પ્રદર્શનકરી દિલ્હીમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો તેના વાહનમાં ટાયર પંચર થઈ જાય.

આ પણ વાંચો: શું વાત છે અદ્ભૂત! પાલખીમાં બેસાડીને અને દુધથી અભિષેક કરી માતાઓનું કરાયુ સમ્માન

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">