AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે.

Farmers Protest: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં નહીં થાય ચક્કાજામ, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કર્યું એલાન
Rakesh Tikait (File Image)
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 12:02 AM
Share

ખેડૂત નેતા રાકેશ ટીકૈત અને બલબીરસિંહ રાજેવાલ જાહેરાત કરી છે કે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં કોઈ ચક્કાજામ નહીં થાય, આ દિવસે ફક્ત ખેડૂતો જ આવેદનપત્ર આપશે. આ અગાઉ ભારતીય ખેડૂત સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટીકૈતે ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓ અહીં આવી શકતા નથી, તેમણે શનિવારે તેમના સ્થળોએ શાંતિથી ચક્કાજામ કરી વિરોધ દર્શાવવો. આ સાથે જ રાકેશ ટીકૈતે કહ્યું કે 6 ફેબ્રુઆરીએ થનારો ચક્કાજામ દિલ્હીમાં નહીં થાય.

દિલ્હી પોલીસનો કડક બંદોબસ્ત

આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામના અહેવાલોની વચ્ચે દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે જણાવ્યું છે કે વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચક્કાજામની દરખાસ્ત કરી છે. આવી સ્થિતિમાં જો 26 જાન્યુઆરીની જેમ પરિસ્થિતિઓ ઉભી ન થાય અને દિલ્હીની બોર્ડરથી કોઈ અસામાજિક તત્વો અંદર ન પ્રવેશે તે માટે દિલ્હી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોના ચક્કાજામને લઈને બેઠક યોજી હતી. પોલીસ કમિશ્નરની બેઠકમાં દિલ્હી પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી પોલીસ કમિશ્નરએસ.એન. શ્રીવાસ્તવે ચક્કાજામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ અંગેનું અવલોકન કર્યું હતું.

ટીકરી બોર્ડર પર પોલીસની તૈયારી

દિલ્હીમાં ખેડૂતોના ચક્કાજામને લઈને ટીકરી બોર્ડર પર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે બેરિકેટ દ્વારા એક વાડ ઉભી કરી દીધી છે, જેના પર કાંટાળા તાર બાંધવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રદર્શનકારી દિલ્હીમાં કોઈપણ રીતે પ્રવેશ કરી શકે નહીં. આ સાથે પોલીસે રસ્તા પર સિમેન્ટ લગાવી દીધો છે અને તેના પર ખીલાઓ ખોસી દીધા, જેથી ટ્રેક્ટર અથવા અન્ય કોઈ વાહન લઈને કોઈ પ્રદર્શનકરી દિલ્હીમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો તેના વાહનમાં ટાયર પંચર થઈ જાય.

આ પણ વાંચો: શું વાત છે અદ્ભૂત! પાલખીમાં બેસાડીને અને દુધથી અભિષેક કરી માતાઓનું કરાયુ સમ્માન

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">