વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) 125મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો'
External Affairs Minister S Jaishankar - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 11:07 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) 125મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નેતાજીની હોલોગ્રાફિક પ્રતિમાના અનાવરણની પ્રશંસા કરતા કહ્યું કે, તે “ઇતિહાસનો લાંબા સમયથી રાહ જોવાતો સુધારો” છે. તેમણે ટ્વિટર પર એમ પણ કહ્યું કે આ ન્યૂ ઈન્ડિયાનો સંદેશ છે.

વિદેશ મંત્રી જયશંકરે પોતાના પ્રથમ ટ્વીટમાં કહ્યું કે, “ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હાજરી ઇતિહાસમાં લાંબા સમયથી રાહ જોવાતી સુધારણા છે. સામ્રાજ્યવાદ સામે લડનાર અને સંસ્થાનવાદનો અંત લાવવા દબાણ કરનાર નેતાને યોગ્ય રીતે ઓળખવામાં આવે છે. દુનિયા સાથે વ્યવહાર કરતી વખતે આપણે આપણી જાત પ્રત્યે સાચા રહીશું.

આપણે નેતાજીની ‘કેન ડુ’ અને ‘વિલ ડૂ’ની ભાવનામાંથી પ્રેરણા લેવી પડશે: પીએમ

તે જ સમયે, નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યા પછી એક સભાને સંબોધતા, વડા પ્રધાને કહ્યું હતું કે, 2047 માં દેશની આઝાદીના સોમા વર્ષ પહેલા વિશ્વની કોઈ પણ શક્તિ ‘નવા ભારત’ના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરતા અટકાવી શકશે નહીં. આ સાથે જ કોંગ્રેસની અગાઉની સરકારો પર આડકતરી રીતે નિશાન સાધતા તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે અનેક મહાન વ્યક્તિઓના યોગદાનને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે દેશ આ ભૂલોને સુધારી રહ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પીએમે કહ્યું કે, આપણે નેતાજી બોઝની “કેન ડુ” અને “વીલ ડુ”ની ભાવનામાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડશે. બોઝે આપણામાં આઝાદ અને સાર્વભૌમ ભારત હોવાનો આત્મવિશ્વાસ જગાવ્યો અને બ્રિટિશ શાસકોને ગર્વ, સ્વાભિમાન અને હિંમત સાથે કહ્યું કે, તેઓ આઝાદીની ભીખ નહીં માંગે પણ તેને હાંસલ કરશે. આ એક ઐતિહાસિક દિવસ છે, એક ઐતિહાસિક સ્થળ છે…આ પ્રતિમા આપણા રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્રતા સંગ્રામમાં લાખો દેશવાસીઓની તપસ્યા સામેલ હતી પરંતુ તેમના ઈતિહાસને પણ સીમિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આઝાદીના દાયકાઓ પછી દેશ તે ભૂલોને સુધારી રહ્યો છે.

મોદીએ બિરસા મુંડાના સન્માનમાં આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી, ડૉ. ભીમ રાવ આંબેડકર સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળોના નિર્માણ અને પ્રચાર માટે, સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ, ભૂતકાળની ભૂલોને સુધારવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો. . વડાપ્રધાને કહ્યું કે, લોકો હવે આઝાદીના સોમા વર્ષમાં નેતાજીના સપનાને સાકાર કરવાનું લક્ષ્ય રાખશે. તેમની સરકારે આંદામાનમાં એક ટાપુનું નામ નેતાજીના નામ પર રાખવાનો અને તેમની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કર્યું છે.

હોલોગ્રામ પ્રતિમા 30,000 લ્યુમેન 4K પ્રોજેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવશે. એક અદ્રશ્ય 90 ટકા પારદર્શક હોલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે મૂકવામાં આવે છે કે તે મુલાકાતીઓને જોઈ શકાતી નથી. સરકારે કહ્યું છે કે હોલોગ્રામની અસર બનાવવા માટે તેના પર નેતાજીની 3ડી તસવીર મૂકવામાં આવશે. આ પ્રતિમાનું કદ 28 ફૂટ ઊંચું અને 6 ફૂટ પહોળું છે.

આ પણ વાંચો: UP Election: પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં સવાલો ઉઠ્યા, ટિકિટ મળ્યા બાદ પણ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે

આ પણ વાંચો: PM મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કરશે વાતચીત, સર્ટિફિકેટ સાથે મળશે 1 લાખ રૂપિયા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">