AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોલંબોથી મુંબઈ જઈ રહેલા માલવાહક જહાજમાં કેરળના દરિયાકાંઠે થયો વિસ્ફોટ, 50 કન્ટેનર ઉડીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ ગુમ

કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે. આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં થયો હતો. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ બચાવ કામગીરીમાં જોતરાયા છે. જહાજ પરથી લગભગ 50 કન્ટેનર દરિયામાં ઊડીને પડી ગયા છે. ગુમ થયેલા ક્રૂ સભ્યોની શોધ ચાલુ છે.

Breaking News : કોલંબોથી મુંબઈ જઈ રહેલા માલવાહક જહાજમાં કેરળના દરિયાકાંઠે થયો વિસ્ફોટ, 50 કન્ટેનર ઉડીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ ગુમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2025 | 6:49 PM

કેરળની દરિયાઈ હદમાં એક મોટો અકસ્માત થયો. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા કન્ટેનર ભરેલ વિશાળ જહાજ MV WAN HAI 503 માં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં જહાજના અંડર ડેક (નીચલા ભાગ) માં થયો હતો. અકસ્માત બાદ જહાજના 4 ક્રૂ સભ્યો ગુમ થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. કુલ 22 ક્રૂ સભ્યો જહાજ પર હતા. જહાજ વિવિધ ચીજવસ્તુઓના કન્ટેનરથી ભરેલું હતું.

ક્રૂ મેમ્બર્સને બચાવવાના પ્રયાસો ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જહાજ પર રાખેલા 50 કન્ટેનર વિસ્ફોટને કારણે ઉડીને દરિયામાં પડી ગયા હતા. જહાજ પર 600 થી વધુ કન્ટેનર રાખવામાં આવ્યા છે. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જહાજો ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ શંકા છે કે જહાજમાં રાખવામાં આવેલા કોઈ કન્ટેનરની અંદર ભયાનક વિસ્ફોટ થયો હશે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

બચાવ કામગીરી શરૂ

આ દરમિયાન, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે કામગીરી શરૂ કરી દીધી છે. કોસ્ટ ગાર્ડનું ડોર્નિયર એરક્રાફ્ટ (CGDO) પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલવામાં આવ્યું છે. આ સાથે, કોસ્ટ ગાર્ડના ત્રણ જહાજો ICGS રાજદૂત (ન્યૂ મેંગલોરથી), ICGS અર્ન્વેશ (કોચીથી), ICGS સચેત (અગાટીથી) ને પણ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

જહાજ પરના બાકીના ક્રૂ મેમ્બર સુરક્ષિત

કોસ્ટ ગાર્ડે કહ્યું છે કે ગુમ થયેલા લોકોને શોધવા અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. જહાજ પરના બાકીના ક્રૂ સભ્યો હાલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટ ગાર્ડ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત જહાજો અને વિમાનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">