AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરિસ્થિતિ વણસી: હોસ્પિટલમાં ભરતી થયાના 48 કલાકમાં દર બીજા દર્દીનું થઇ રહ્યું છે મોત

કોરોનાના કેસ સાથે મૃત્યુદર ખુબ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ સતત સ્મશાનના વિડીયો અને તેમાં પણ લાઈનો જોવા મળી રહી છે.

પરિસ્થિતિ વણસી: હોસ્પિટલમાં ભરતી થયાના 48 કલાકમાં દર બીજા દર્દીનું થઇ રહ્યું છે મોત
રચનાત્મક તસ્વીર
| Updated on: Apr 14, 2021 | 11:06 AM
Share

દેશના જુદા જુદા ભાગોથી સોશિયલ મીડિયા પર સ્મશાન અને કબ્રસ્તાનની હાલત દર્શાવતા વિડીયો સામે આવી રહ્યા છે. પરંતુ આ મૃત્યુ પાછળનું વાસ્તવિક કારણ છે કે રાજ્યોએ અગાઉની ઘટનાઓમાંથી શીખ લીધી નથી. કેન્દ્રના અહેવાલ મુજબ દર્દી દેશની હોસ્પિટલોમાં દાખલ થયાના 48 કલાકની અંદર મરી રહ્યા છે.

કોરોનાથી દર બીજી મૃત્યુ 48 અને ત્રીજી 72 કલાકમાં થઇ રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ બનવા માંડી છે કે જ્યારે દર્દીઓ તેમના શ્વાસ ખૂટવા લાગે છે ત્યારે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. આ સ્થિતિ મહારાષ્ટ્ર, છત્તીસગ, મધ્યપ્રદેશ, પંજાબ સહિત ઘણા રાજ્યોની હોસ્પિટલોની છે. તબીબી સંબંધમાં, સ્થિતિ એકદમ ગંભીર માનવામાં આવે છે જેમાં વાયરસ દર્દીના ફેફસા સુધી પહોંચી જાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે સક્રિય દર્દીને આ સ્થિતિમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછા 6 થી 9 દિવસનો સમય લાગે છે, પરંતુ સ્થિતિ એ છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 40 થી 45 ટકા લોકો છેક સારવારના તબક્કે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. થોડા કલાકો પછી તે મરી રહ્યા છે.

10 માર્ચથી 10 એપ્રિલ સુધીની ખરાબ સ્થિતિ

રોગ નિયંત્રણના રાષ્ટ્રીય કેન્દ્રના અહેવાલ મુજબ, આ વર્ષે માર્ચથી 10 એપ્રિલ સુધીમાં કોરોનાથી થતાં મોટાભાગના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા ત્રણ દિવસમાં નોંધાયા છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ હતી જ્યારે મંત્રાલયે રાજ્યો સાથે બેઠક યોજીને તેમને રોકવામાં સફળતા મેળવી હતી. જો કે, સમાન કટોકટી ફરીથી દર્શાવે છે કે રાજ્યો અગાઉની ઘટનાઓથી કીન શીખ્યા નથી.

વધુ મોતનું મુખ્ય કારણ

યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવતું નથી, એકવાર કોઈ પણ જિલ્લામાં સંક્રમણ પુષ્ટિ થઈ જાય પછી, જિલ્લા તબીબી ટીમને મોનિટર કરવાની જરૂર છે. જો દર્દી લક્ષણો વિના હોય, તો પછી તેને અલગ રાખવામાં આવે અને તો સ્થિતિ બગડતી હોય તો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે. આ કરવામાં ટીમ નિષ્ફળ રહી છે.

દર્દીઓનું જૂઠ્ઠાણું

ઘણા દર્દીઓ અઈસોલેશન ઝોનના ભયને કારણે તેમની સ્થિતિ છુપાવે છે. જ્યારે તેમની સ્થિતિ બગડવાની શરૂઆત થાય છે, છેક ત્યારે તેમને ઝડપથી દાખલ કરવામાં આવે છે. આ કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં જનમેદની વચ્ચે કોરોનાનો પ્રકોપ: 100 થી વધુ ભક્તો અને 20 સાધુ-સંતો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: હોસ્પિટલ સ્ટાફ લાગ્યો હતો મંત્રીજીની જીહજૂરીમાં, બહાર કોરોનાના દર્દીએ તડપી તડપીને લીધા છેલ્લા શ્વાસ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">