મહાકુંભમાં જનમેદની વચ્ચે કોરોનાનો પ્રકોપ: 100 થી વધુ ભક્તો અને 20 સાધુ-સંતો કોરોના પોઝિટિવ

મહાકુંભમાં ઉમટેલી જનમેદની અને તેમાં કોરોનાના નિયમોનું ભંગ થતું જોઇને ઘણા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વચ્ચે મહાકુંભમાં કોરોનાનો પ્રકોપ સામે આવ્યો છે.

મહાકુંભમાં જનમેદની વચ્ચે કોરોનાનો પ્રકોપ: 100 થી વધુ ભક્તો અને 20 સાધુ-સંતો કોરોના પોઝિટિવ
હરિદ્વાર કુંભ (Image - PTI)
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 10:36 AM

કોરોના ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ છતાં મેળામાં તેની તપાસ, માસ્ક પહેરવા અને અન્ય નિયામો ના માનવાનું કહેનાર ધાર્મિક મુખિયાઓ અને સાધુ સંતોમાંથી અત્યાર સુધી 20 કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમજ અત્યાર સુધીમાં 100 થી વધુ યાત્રાળુઓ કોરોનાની ઝપેટમાં છે.

દરમિયાન અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રીમહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતા તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે કોવિડ રિપોર્ટ સકારાત્મક આવ્યા પછી તેઓ અખાડામાં અલગ થઈ ગયા હતા. તે જ સમયે નિરંજની અખાડાના દસ સંતોને પણ છેલ્લા પાંચ દિવસમાં ચેપ લાગ્યો છે. આરોગ્ય વિભાગે અખાડાના અનેક સંતોના કોવિડ નમૂનાઓ પણ એકત્રિત કર્યા છે. શ્રીમહંતના સંપર્કમાં આવેલા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ મંગળવારે લખનૌમાં તેમની કોવિડ તપાસ કરાવી હતી.

શ્રીમહંત નરેન્દ્ર ગિરી મહાકુંભ સાથે સંકળાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમના પ્રયત્નોને કારણે જ બેરાગી અખાડા અને મહામંડલેશ્વરને છાવણી માટે જમીન ફાળવવામાં આવી હતી. મેળા પોલીસ-વહીવટથી માંડીને અખાડાના સંતો સુધી વચ્ચે તેઓ પુલનું કામ કરી રહ્યા હતા. ધાર્મિક કાર્યક્રમોથી માંડીને કુંભ સભાઓમાં પણ ભાગ લઈ રહ્યા હતા. ચાર દિવસ પહેલા તેમણે પેટની અસ્વસ્થતા અને ડિહાઇડ્રેશનની ફરિયાદ કરી હતી. શુક્રવારે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોવિડની તપાસ માટે આરટીપીઆરનો નમુનો લેવામાં આવ્યો હતો. તપાસનો અહેવાલ બહાર આવે તે પહેલાં નરેન્દ્ર ગિરી શનિવારે સવારે હોસ્પિટલમાંથી સ્વેચ્છાએ અખાડામાં આવી ગયા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

અહીં તેઓ સંતો સાથે જ નહીં પરંતુ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ મળ્યા અને તેમનું સ્વાગત કર્યું. આ પછી, તેનો કોવિડ રિપોર્ટ સકારાત્મક આવ્યો. આરોગ્ય વિભાગે અખાડાને સેનેટાઈઝ કર્યો અને તેમના સંપર્કમાં આવેલા સંતોના કોવિડ નમૂનાઓ લીધા. અત્યાર સુધી દસ સંત સકારાત્મક આવ્યા છે. શ્રીમહંત અખાડામાં જ અલગ થઈ ગયા હતા. સોમવારે રાત્રે તેમની તબિયત અચાનક વણસી ગઈ હતી. એમ્બ્યુલન્સમાંથી તેમને તરત જ એઈમ્સ ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એઇમ્સના જનસંપર્ક અધિકારી હરીશ થપલિયાલે જણાવ્યું હતું કે શ્રીમહંત નરેન્દ્ર ગિરીને ગત રાત્રે ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ તેમને આઈપીડીમાં ખેસેડાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની દેખરેખ કરતા તબીબોએ જણાવ્યું હતું કે શ્રીમહંત ડાયાબિટીસના દર્દી છે અને તેમને તાવ અને કફ છે. આ ક્ષણે, તે સંપૂર્ણ સ્થિર છે.

આ પણ વાંચો: હોસ્પિટલ સ્ટાફ લાગ્યો હતો મંત્રીજીની જીહજૂરીમાં, બહાર કોરોનાના દર્દીએ તડપી તડપીને લીધા છેલ્લા શ્વાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">