શું મમતા બેનર્જીની ઉમેદવારી થશે રદ ? ભાજપના ચૂંટણી એજન્ટની ફરિયાદ- મુખ્યપ્રધાને પોતાની સામેના ફોજદારી કેસો છુપાવ્યા

ચૂંટણી અધિકારીને લખેલ પત્રમાં ઉલ્લેખ કરાયેલ વિગત અનુસાર, મમતા વિરુદ્ધ આસામના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા હતા. આમાંથી કેટલાક કેસ એપ્રિલ-મેમાં ચૂંટણી પહેલા જ નોંધાયા હતા. આરોપ છે કે આસામમાં નોંધાયેલા આ કેસોનો તેમના સોગંદનામામાં ઉલ્લેખ નથી.

શું મમતા બેનર્જીની ઉમેદવારી થશે રદ ? ભાજપના ચૂંટણી એજન્ટની ફરિયાદ- મુખ્યપ્રધાને પોતાની સામેના ફોજદારી કેસો છુપાવ્યા
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 5:38 PM

પશ્ચિમ બંગાળમાં આ મહિને યોજાનારી પેટાચૂંટણીને ( West Bengal by-election ) ખૂબ મહત્વની માનવામાં આવે છે. ખાસ કરીને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (Mamata Banerjee) ભવાનીપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ આ પેટા ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બંગાળના મુખ્યપ્રધાન પદે રહેવા માટે, મમતા માટે તેમની પરંપરાગત ભવાનીપુર બેઠક ( Bhawanipur assembly constituency ) પરથી જીતવું જરૂરી છે, અન્યથા તેઓ ધારાસભ્ય બનવામાં નિષ્ફળ નિવડશે તો તેઓ મુખ્યપ્રધાન રહી શકશે નહીં. આ દરમિયાન ભાજપે મમતાને મુખ્ય પ્રધાન પદ પરથી દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રિયંકા તિબ્રેવાલને તેમની સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા બાદ હવે ભાજપના એજન્ટે ચૂંટણી પંચ પાસે મમતાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે.

ભવાનીપુર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલના (Priyanka Tibrewal) ચૂંટણી એજન્ટે મમતા બેનર્જીની ઉમેદવારી સામે વાંધો ઉઠાવીને અહીંના રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે મમતાએ દાખલ કરેલા સોગંદનામામાં તેણીએ તેમની સામે નોંધાયેલા પાંચ ફોજદારી કેસનો ઉલ્લેખ કર્યો નથી. ભાજપના એજન્ટ સેજલ ઘોષે પણ તેમના પત્રમાં તે કેસોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે મમતા બેનર્જી સામે ક્યાં કેસ નોંધાયેલા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ચૂંટણીપંચને આપેલા પત્રમાં ઉલ્લેખ કરાયેલ વિગત અનુસાર, મમતા વિરુદ્ધ આસામના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા હતા. આમાંથી કેટલાક કેસ એપ્રિલ-મેમાં ચૂંટણી પહેલા જ નોંધાયા હતા. આરોપ છે કે આસામમાં નોંધાયેલા આ કેસોનો તેમના સોગંદનામામાં ઉલ્લેખ નથી. જો કે, આ બાબતે તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે જો આ ચાર્જશીટમાં ખરેખર મમતા બેનર્જીનું નામ છે, તો તેમણે માત્ર સોગંદનામામાં જ બાબતો જાહેર કરવાની જરૂર હતી.

ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલે એક દિવસ પહેલા ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે મમતા બેનર્જીએ 10 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવી હતી. ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરે મતદાન થશે અને 3 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી (CPI-M) એ આ બેઠક પરથી વકીલ શ્રીજીબ બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ પેટાચૂંટણીમાં ભાગ લઈ રહી નથી.

આ પણ વાંચોઃ ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !

આ પણ વાંચોઃ અલીગઢમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નાના અને સીમાંત ખેડૂતોને તાકાત મળવી જોઈએ અને MSP ના ભાવમાં વધારો થવો જરૂરી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">