‘પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા, પરંતુ હવે તેઓ વિકાસની યોજનાઓમાં જોડાઈ રહ્યા છે’, કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન

અમિત શહા (Amit Shah) જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિશે કહ્યું કે, પહેલા યુવાનો પથ્થરબાજીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓમાં સામેલ થઈ રહ્યા છે.

'પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા, પરંતુ હવે તેઓ વિકાસની યોજનાઓમાં જોડાઈ રહ્યા છે', કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 11:26 AM

પોલીસ સંભારણા દિવસ (Police Commemoration Day)  પર, ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જે દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિશે કહ્યું કે, પહેલા યુવાનો પથ્થરબાજીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓમાં સામેલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની આંતરિક સુરક્ષાના મામલામાં સકારાત્મક ફેરફારો થયા છે. અગાઉ દેશના પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં આવી ઘણી મોટી ઘટનાઓ બનતી હતી. પહેલા સુરક્ષા દળોને વિશેષ સત્તા આપવામાં આવતી હતી, પરંતુ હવે યુવાનોને તેમના વિકાસ માટે વિશેષ સત્તા આપવામાં આવી છે. તેનાથી હિંસા ઘટી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં પૂર્વોત્તર રાજ્યો, જમ્મુ-કાશ્મીર, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.

પોલીસકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ

પોલીસ સંભારણા દિવસ પર, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ભારત આંતરિક સુરક્ષા, સરહદો પર સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરીને સર્વાંગી વિકાસના તેના લક્ષ્ય તરફ આગળ વધશે. તેમણે કહ્યું, ‘હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે પોલીસકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જાય, કોઈપણ કિંમતે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરશે.’ આંતરિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતી વખતે 35,000 પોલીસ જવાનોએ પોતાનો જીવ આપ્યો.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છેઃ અમિત શાહ

તેમણે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં, એકલવ્ય શાળાઓમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને તેમની ઇમારતો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. શાહે કહ્યું કે દેશભરમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોના બલિદાનને કારણે જ ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસ સ્મૃતિ દિવસ 10 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં 1959 માં ચીનના આક્રમણનો બદલો લેતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">