અમરનાથ યાત્રા સમયે જ, પહેલગામ-શાંગુસમાં વાદળ ફાટ્યુ, અચાનક આવેલા પૂરથી હોટલો અને ઘરો ડૂબ્યાં
જમ્મુ કાશ્મીરના પહલગામમાં અવુરાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી, હેઠવાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું. જોકે, નદીના કિનારે આવેલી એક હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા.

ગઈકાલ શનિવારની રાત્રીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં વાદળ ફાટવાથી, એકાએક ધસી આવેલા પાણીના પ્રવાહથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વાદળ ફાટવાને કારણે આવેલા પૂરમાં અનેક હોટલો અને ઘરો ડૂબી ગયા હતા. કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પહેલગામના અવુરા અને દેહવાથુ જંગલ વિસ્તારોમાં વાદળ ફાટતા અતિ ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન, ચિત્રગુલના ઉપરના ભાગમાં વાદળ ફાટવાથી અર્પટ ચિત્રગુલ-શાંગુસના પ્રવાહમાં એકાએક વધારો થયો હતો.
તેમણે અહેવાલ આપ્યો હતો કે, વાદળ ફાટવાથી અવુરા પ્રવાહમાં અચાનક પૂર આવ્યું હતું, અને વધતા જતા પાણીને કારણે ઓછામાં ઓછી છ હોટલો ડૂબી જવા માપી હતી. જો કે, હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારના ઘણા ઘરો પૂરથી પ્રભાવિત થયા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી, અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
અવુરાના પાણીના સ્તરમાં ઝડપથી વધારો
વાદળ ફાટવાના કારણે પહેલગામમાં અવુરાના પાણીના સ્તરમાં ઝડપથી વધારો થયો. ઘણી હોટલો અને અન્ય ઇમારતોમાં પાણી જમા થયું છે. તે જ સમયે, ચિત્રગુલ (અનંતનાગ જિલ્લો, દક્ષિણ કાશ્મીર) ના ઉપરના ભાગમાં વાદળ ફાટવાથી અર્પટ ચિત્રગુલ-શાંગુસ પ્રવાહમાં અચાનક પૂર આવ્યું.
બચાવ અને દેખરેખ ટીમો તહેનાત
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હવામાનને લઈને ઉચ્ચ ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ અને દેખરેખ ટીમો તૈનાત કરવામાં આવી છે. બધા પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત
પહલગામમાં અવુરાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી થોડા સમય માટે વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. જો કે, પ્રવાહના કિનારે આવેલી હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. સૂત્રો જણાવે છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. સદનસીબે, આ અહેવાલ લખાય ત્યાં સુધીમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા ન હતા.
