સામી દિવાળીએ રાજસ્થાનમાં અંધારૂ છવાઈ શકે છે, વીજળી ઉત્પાદન કરનારા 23માંથી 11 થર્મલ સ્ટેશન બંધ !

કહેવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસા(Coal)ની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન (Power Genration)પર અસર પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરરોજ 30000 મેટ્રિક ટનથી વધુ કોલસાના પુરવઠાની અછત છે

સામી દિવાળીએ રાજસ્થાનમાં અંધારૂ છવાઈ શકે છે, વીજળી ઉત્પાદન કરનારા 23માંથી 11 થર્મલ સ્ટેશન બંધ !
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 9:39 AM

રાજસ્થાન(Rajasthan)માં વિજળી સંકટ (Power Crisis)વધુ ઘેરી બન્યું છે. 23 થર્મલ સ્ટેશનોમાંથી 11એ વીજળીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટ્સને કોલસાની યોગ્ય સપ્લાય નથી મળી રહી. એક અધિકારીએ જણાવ્યું કે થર્મલ પાવર સ્ટેશન (Thermal Power Station)માટે કોલસાના 37 રેકની જરૂર છે, પરંતુ હાલમાં માત્ર 20 રેક ઉપલબ્ધ છે. જેના કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. કયારેક દિવસ દરમિયાન તો કયારેક રાત્રે વીજ પુરવઠો ખોરવાય છે. લોકોનું કહેવું છે કે જ્યારે આ સમસ્યા અંગે વીજ વિભાગને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ પણ તેની અવગણના કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસાની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરરોજ 30000 મેટ્રિક ટનથી વધુ કોલસાના પુરવઠાની અછત છે. જેના કારણે હજારો મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. વીજ કટોકટી નિવારવા માટે વિભાગ અને ઉર્જા વિકાસ નિગમ પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

છત્તીસગઢમાં સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશનને ફાળવવામાં આવેલો કોલસો ખતમ થવાના આરે છે. તે જ સમયે, બાકીના કોલસાના ખાણને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ઓડિશામાં મહાનદી કોલ ફિલ્ડમાંથી વિદ્યુત ઉત્પદન નિગમને કોલસો ફાળવ્યો છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે આ કોલસાની ગુણવત્તા સારી નથી. છત્તીસગઢના 4000 ટન કોલસામાંથી 220 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. તે જ સમયે, મહાનદી કોલફિલ્ડના કોલસામાંથી 200 મેગાવોટથી ઓછી વીજળીનું ઉત્પાદન થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ત્યારે વીજ કટોકટીને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો કરવા જોઈએ તેવું ખેડૂત આગેવાનોનું માનવું છે. જ્યારે રાજ્યમાં ઓછો વરસાદ પડે છે ત્યારે ખેડૂતો તેમના ખેતરોમાં ટ્યુબવેલ દ્વારા જ સિંચાઈ કરે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો નહીં મળે તો તેની અસર ખેતી પર પણ પડશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">