PF એટલે પ્રોવિડન્ટ ફંડ અને GPF એટલે જનરલ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ નિવૃત્તિ સાથે બચત યોજના છે, જે જીપીએફ જેવું જ છે. GPF તમામ સરકારી કર્મચારીઓના PF સાથે સંકળાયેલ છે, જ્યારે પીએફ તમામ કંપનીઓ અને કામદારોથી સંબંધિત છે, જેમાં 20થી વધુ લોકો કામ કરે છે. આ બજેટમાં પીએફ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે રોકાણ કરનારાઓને ચિંતિત થવું પડે એવું છે. નવા ટેક્સનો નિયમ GPF પર પણ લાગુ થશે.
હકીકતમાં બજેટ દરમિયાન નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે હવે નાણાકીય વર્ષ દરમિયાન માત્ર 2.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ કર મુક્તિ (Tax Free)નો લાભ મળશે. જો કોઈ વ્યક્તિ આનાથી વધારે રોકાણ કરે છે તો તેણે તેની કમાણી પર ટેક્સ ભરવો પડશે. પીએફ પર અત્યારે 8% વ્યાજ ચૂકવવામાં આવે છે અને આ વ્યાજ હજી પણ Taxની બહાર છે. આ નિયમનો સીધો અર્થ એ છે કે એક વર્ષમાં રૂ.2.50 લાખના રોકાણ પર મળેલા વ્યાજ પર કર લાગશે નહીં. પરંતુ જો તમે તેના કરતા વધારે રોકાણ કર્યું તો હવે તમારા વળતર પર ટેક્સ લાગશે.
આવી જ જોગવાઈ જીપીએફ માટે પણ કરવામાં આવી છે. બજેટમાં આ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ સીબીડીટીએ તે પછીથી સ્પષ્ટતા કરી અને જણાવ્યું હતું કે કર્મચારીના વાર્ષિક 2.5 લાખથી વધુના યોગદાન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર કર લાગશે. આથી ફક્ત પીએફ જ નહીં પરંતુ જીપીએફ પણ ટેક્સની જાળ હેઠળ આવે છે, જેની મર્યાદા 2.5 લાખ રાખવામાં આવી છે. જે પણ કર્મચારીનું પીએફ અથવા જીપીએફ 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તેના પર મળેલા વ્યાજ પર ટેક્સ ભરવો પડશે.
તેવી જ રીતે પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડંડ ફંડ પણ છે. લોકોને સવાલો છે કે શું પીપીએફ અને જીપીએફને સમાવીને 2.5 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના પર ટેક્સમાં છૂટ મળશે કે બંને અલગ-અલગ છે? પીપીએફને આ જોગવાઈથી બાકાત રાખવામાં આવી છે. પીપીએફની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે અને આથી વધારે રોકાણ કરી શકતું નથી, તેથી પીએફનો 2.5 લાખ નિયમ તેના પર લાગુ પડતો નથી. 2.5 લાખ રૂપિયાનો નિયમ PF અને GPF પર લાગુ થશે નહીં કે PPF પર, કારણ કે તે એક પબ્લિક પ્રોવિડંડ ફંડ છે.
સરકારે આ પગલાથી સ્પષ્ટ કરી દીધું છે કે તે નાના રોકાણકારો પાસેથી ટેક્સ વસૂલશે નહીં, પરંતુ 2.5 લાખની મર્યાદાથી વધુનો ટેક્સ વસૂલશે. આ કર મોટા પગારધારક માટે રહેશે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આનાથી માત્ર 1% પીએફ સબ્સ્ક્રાRબર્સ પ્રભાવિત થશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી, સ્વાસ્થ્યની ચકાસણી કરાવી વધુ કાળજી લેવાની સલાહ આપી