જાણો, ભારતની એવી જગ્યાઓ વિશે જ્યાં જવા માટે ભારતીયોએ પણ લેવી પડે છે પરવાનગી

અરુણાચલ પ્રદેશની સરહદ મ્યાનમાર, ભૂતાન અને ચીન સાથે વહેંચાયેલી છે. તેથી આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી દરેક બિન-સ્થાનિકને આ અદ્ભુત સ્થળની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડશે.

જાણો, ભારતની એવી જગ્યાઓ વિશે જ્યાં જવા માટે ભારતીયોએ પણ લેવી પડે છે પરવાનગી
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:59 PM

કોરોના (Corona virus)ની બીજી લહેર જેમ જેમ ધીમી પડી રહી છે તેમ તેમ લોકો ફરવા માટે ઉમટી પડ્યા છે. મહિનાઓથી ઠંડા પડેલા ટુરીઝમ ક્ષેત્રમાં પણ તેજી આવી છે. તમને બધાને એ તો ખબર જ હશે કે જો તમે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે વિઝાની જરૂર પડશે. પરંતુ શું તમને એ ખબર છે કે ભારતમાં પણ અમુક જગ્યાની મુલાકાત લેવા માટે પણ તમારે ઈનર લાઈન પરમિટ (ILP) મેળવવી પડશે. આજે અમે તમને આ વિશે માહીતગાર કરીશું કે ભારતમાં ક્યાં એવા સ્થળો છે, જેની મુલાકાત માટે તમારે પરમિશન લેવાની જરૂર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પ્રકારની પરમીટો હકીકતમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સંવેદનશીલ સ્થળોની મુલાકાત માટે લેવી પડતી હોય છે.  આ નિયમ એટલા માટે કરવામાં આવ્યો છે કે તે વિસ્તારોમાં લોકોની અવરજવરને નિયંત્રિત કરી શકાય, આદિવાસી સંસ્કૃતિઓને સુરક્ષિત રાખી શકાય તેમજ અનિચ્છનીય ઘટનાઓ ઘટાડી શકાય. તેથી, અહીંના કેટલાક સુંદર સ્થળો છે, જેની મુલાકાત લેવા માટે ILPની જરૂર પડશે.

અરુણાચલ પ્રદેશની સરહદ મ્યાનમાર, ભૂતાન અને ચીન સાથે વહેંચાયેલી છે. તેથી આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી દરેક બિન-સ્થાનિકને આ અદ્ભુત સ્થળની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડશે. જે લોકો અહીં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેઓએ નવી દિલ્હી, કોલકાતા, ગુવાહાટી અને શિલોંગના નિવાસી કમિશનર, અરુણાચલ પ્રદેશ સરકાર પાસેથી સંરક્ષિત વિસ્તારો માટે પરમિટ મેળવવાની રહેશે.

સિંગલ ઈ-આઈએલપી અથવા ગ્રુપ ઈ-આઈએલપીનો મહત્તમ  સમયગાળો 30 દિવસનો રહેશે. જેના માટે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાનો ખર્ચ થશે. તેમજ કોઈપણ વ્યક્તિ ઓનલાઈન પરમિટ મેળવી શકે છે. નાગાલેન્ડ પૂર્વની સરહદ મ્યાનમાર સાથે  વહેંચાયેલી છે, જેમાં લગભગ 16 આદિવાસીઓના ઘર છે, જે તેમની રીતે અજોડ છે અને તેમની પોતાની અલગ ભાષા તેમજ પોતાના રિવાજો છે.

જે લોકો આ સ્થળની મુસાફરી કરવા ઈચ્છે છે તેમને તેની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડશે, જે કોહિમા, દિમાપુર, નવી દિલ્હી, મોકોકચુંગ, શિલોંગ અને કોલકાતાના ડેપ્યુટી કમિશનરો પાસેથી મેળવી શકાય છે. તેમજ તમે ઓનલાઈન પરમિટ પણ મેળવી શકો છો. મિઝોરમની સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે વહેંચાયેલી છે અને તે અનેક સ્વદેશી જાતિઓનું ઘર છે. આ સુંદર સ્થળની મુલાકાત લેવા માટે તમારી પાસે ઇનર લાઇન પરમિટ હોવી આવશ્યક છે.

જે તમે સિલ્ચર, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ અને નવી દિલ્હી જેવા શહેરોમાંથી મિઝોરમ સરકારના સંપર્ક અધિકારી પાસેથી મેળવી શકો છો. જો કે, ફ્લાઈટ દ્વારા રાજ્યમાં પ્રવેશ કરનારા લોકોને આઈઝોલના લેંગપુઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા અધિકારી પાસેથી વિશેષ પાસ મળી શકે છે. બે પ્રકારની આઈએલપી (ILP) ઉપલબ્ધ છે,  એક કામચલાઉ છે. જે 15 દિવસ માટે માન્ય રહે છે, જ્યારે અન્ય નિયમિત છે, જેની માન્યતા છ મહિના સુધીની છે.

જો તમે દૂરસ્થ સંરક્ષિત ક્ષેત્રો અથવા ઉચ્ચતમ બિંદુઓની મુલાકાત લેવા માંગો છો તો તમારે પરમિટની જરૂર પડશે. એક અહેવાલ મુજબ પ્રવાસીઓને નાથુલા દર્રા યાત્રા, ત્સોમગો-બાબા મંદિર પ્રવાસ, જોંગરી ટ્રેક, સિંગલિલા ટ્રેક, યુમેસમડોંગ, ગુરુડોંગમાર લેક ટૂર, યુમથાંગ અને ઝીરો પોઈન્ટ યાત્રા અને થંગુ-ચોપતા વેલીના પ્રવાસ માટે પરમિટની જરૂર પડશે.

જે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આપવામાં આવશે, તેમજ બાગડોગરા એરપોર્ટ અને રંગપો ચેકપોસ્ટ પર મેળવી શકાય છે. તમે ખાસ પરમિટ મેળવવા માટે ટૂર ઓપરેટરો અથવા ટ્રાવેલ એજન્ટોની મદદ પણ લઈ શકો છો. લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે તમામ પ્રવાસીઓને પરમિટની જરૂર પડશે, કારણ કે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ આ સ્વર્ગ સમાન ટાપુની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા પર નજર રાખે છે.

આ પરમિટ મેળવવા માટે તમારા તમામ ઓળખ દસ્તાવેજોની સાથે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. પરમિટ મળ્યા પછી તમારે તેને લક્ષદ્વીપના ઈન્ચાર્જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. આ પરમિટ કોઈપણ જાતની તકલીફ  વગર સરળતાથી ઓનલાઈન મેળવી શકાય છે.

આ પણ વાંચો : મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ પર જીવલેણ હુમલો, 5 અધિકારીઓ થયા ઘાયલ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">