Delhi: કેજરીવાલ સરકારમાં બે નવા મંત્રીઓએ શપથ લીધા, આતિશી શિક્ષા મંત્રી અને સૌરભ ભારદ્વાજ બન્યા સ્વાસ્થ્ય મંત્રી

મનીષ સિસોદિયાની CBI દ્વારા 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 28 ફેબ્રુઆરીએ તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. મની લોન્ડરિંગના કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પણ સિસોદિયાની સાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Delhi: કેજરીવાલ સરકારમાં બે નવા મંત્રીઓએ શપથ લીધા, આતિશી શિક્ષા મંત્રી અને સૌરભ ભારદ્વાજ બન્યા સ્વાસ્થ્ય મંત્રી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 5:14 PM

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં આજે બે નવા મંત્રીઓ જોડાયા છે. આતિશી અને સૌરભ ભારદ્વાજે મંત્રી તરીકે શપથ લીધા. બંને નેતાઓ રાજભવન પહોંચ્યા અને મંત્રી પદના શપથ લીધા. પહેલા સૌરક્ષ ભારદ્વાજે પછી આતિશીએ મંત્રી પદના શપથ લીધા. બંનેના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સીએમ કેજરીવાલ સહિત દિલ્હીના ઘણા મંત્રીઓ રાજભવન પહોંચ્યા હતા.

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ હવે દિલ્હી સરકારના બે ખાલી પડેલા મંત્રી પદો ભરવામાં આવ્યા છે. સૌરભ-આતિશીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કૈલાશ ગેહલોત, દિલ્હી સરકારના મંત્રીઓ ગોપાલ રાય અને ઈમરાન હુસૈન પણ રાજભવન પહોંચ્યા હતા.રાજભવનમાં વિપક્ષના નેતા રામવીર સિંહ વિધુરી પણ હાજર છે.

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને 28 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું

દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને 28 ફેબ્રુઆરીએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ AAP સરકારે 2 નવા પ્રધાનોની નિમણૂકની જાહેરાત કરી હતી. 7 માર્ચે રાષ્ટ્રપતિએ બે નવા મંત્રીઓની નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આજે બંને નવા મંત્રીઓએ પદના શપથ લીધા છે. શપથ લીધા બાદ સૌરભ ભારદ્વાજે સ્પષ્ટ કર્યું કે તે અને આતિશી સિસોદિયાના ભરત બનીને કામ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આતિશી-સૌરભ પાસે કયા વિભાગો છે?

કેજરીવાલ સરકારમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ યુવા ચહેરાઓ હોવાની સાથે સાથે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ હંમેશા તત્પરતાથી સરકારની સાથે ઉભા રહે છે અને જનતાના પ્રશ્નોને ઉઠાવે છે. અત્યાર સુધી બંને માત્ર ધારાસભ્ય હતા પરંતુ હવે તેઓ મંત્રી બની ગયા છે. બંનેના પોર્ટફોલિયોની પણ જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ, PWD અને પ્રવાસન વિભાગ આતિશીને સોંપવામાં આવ્યા છે. બીજી તરફ સૌરભ ભારદ્વાજને આરોગ્ય, શહેરી વિકાસ, પાણી અને ઉદ્યોગ વિભાગો સોંપવામાં આવ્યા છે. આતિશીને સોંપવામાં આવેલા વિભાગોમાં શિક્ષણ, PWD મનીષ સિસોદિયા પાસે હતું અને સૌરભ ભારદ્વાજને સોંપાયેલ આરોગ્ય વિભાગ સત્યેન્દ્ર જૈન પાસે હતું.

મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી

જણાવી દઈએ કે મનીષ સિસોદિયાની CBI દ્વારા 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 28 ફેબ્રુઆરીએ તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ મની લોન્ડરિંગના કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પણ સિસોદિયાની સાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ બંનેના વિભાગ કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને સોંપવામાં આવ્યા હતા.

ગેહલોતને આયોજન, નાણાં, જાહેર બાંધકામ, ગૃહ, વીજળી, કૃષિ, પાણી અને શહેરી વિકાસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે જ રાજકુમાર આનંદને જમીન, શિક્ષણ, પ્રવાસન, કલા-સંસ્કૃતિ, શ્રમ, રોજગાર અને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી.

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">