AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: મનોજ તિવારીનો અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ, કહ્યુ- કેજરીવાલ મનીષ સિસોદિયાની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે?

મનોજ તિવારીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાંમાં માહેર છે, મનીષ સિસોદિયાની સુરક્ષા વધારવી જોઈએ. અરવિંદ કેજરીવાલ રંગ બદલવામાં નિષ્ણાત છે. અમે ઇચ્છીએ છીએ કે તપાસ એજન્સી એક્સાઈઝ કૌભાંડના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચે.

Delhi: મનોજ તિવારીનો અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ, કહ્યુ- કેજરીવાલ મનીષ સિસોદિયાની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 7:30 PM
Share

બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. બીજેપી સાંસદ મનોજ તિવારીએ ગુરુવારે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને રસ્તા પરથી હટાવવાનું કાવતરું કરી રહ્યા છે.

શું મનીષ સિસોદિયાને માત્ર અરવિંદ કેજરીવાલથી જ ખતરો છે?

મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, ગઈકાલે AAP પ્રવક્તાએ કહ્યું હતું કે મનીષ સિસોદિયાને જેલ નંબર 1 માં ખતરનાક કેદીઓ સાથે રાખીને તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તિવારીએ કહ્યું કે, જો મનીષ સિસોદિયાને જેલમાં જીવનું જોખમ છે તો તેઓ આમ આદમી પાર્ટી સાથે કેવી રીતે વાત કરી શકે? દિલ્હીની તમામ જેલો દિલ્હી સરકાર હેઠળ છે, તો શું મનીષ સિસોદિયાને માત્ર અરવિંદ કેજરીવાલથી જ ખતરો છે?

શું અરવિંદ કેજરીવાલ સિસોદિયાની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે?

બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે હવાલા મામલે જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈન કોર્ટમાં જાય છે અને કહે છે કે તેમની યાદશક્તિ ઘટી ગઈ છે, તેમને જેલમાં એવી સુવિધાઓ મળી રહી હતી કે એક મોટો ગુનેગાર તેમને મસાજ કરતો હતો. મનોજ તિવારીએ કહ્યું કે, હવે લાગે છે કે તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે, મનીષ સિસોદિયા પાસે અરવિંદ કેજરીવાલના ઘણા રહસ્યો છે, તો શું અરવિંદ કેજરીવાલ તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે?

ભાજપે મનીષ સિસોદિયાની સુરક્ષા વધારવાની માગ કરી

મનોજ તિવારીએ વધુમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાંમાં માહેર છે, મનીષ સિસોદિયાની સુરક્ષા વધારવી જોઈએ, મનીષ સિસોદિયાની ધરપકડના ડરથી અરવિંદ કેજરીવાલ 9/9 લોકોને પત્ર લખવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ રંગ બદલવામાં નિષ્ણાત છે. મનીષ સિસોદિયાની સુરક્ષા વધારવી જોઈએ, અમે ઇચ્છીએ છીએ કે તપાસ એજન્સી એક્સાઈઝ કૌભાંડના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચે, જેથી લોકો જોઈ શકે કે તેમના બાળકોને દારૂ પીવડાવવાનું કાવતરું કોણે ઘડ્યું હતું.

જે લોકો ભ્રષ્ટાચારીઓ માટે બોલતા હતા તેઓ હવે તેમને ભેટી રહ્યા છે: મનોજ તિવારી

સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ બાદ ભ્રષ્ટાચારીઓમાં ગભરાટ ફેલાયો છે.અગાઉ અન્ય ભ્રષ્ટાચારીઓ માટે બોલતા અરવિંદ કેજરીવાલ હવે તેમને ભેટી રહ્યા છે. મનોજ તિવારીએ કહ્યું કે મનીષ સિસોદિયાની ધરપકડ બાદ નવ વિપક્ષી નેતાઓએ પત્ર લખ્યા હતા. આ કોણ છે?

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">