Delhi News : શું છે સત્યેન્દ્ર અને સિસોદિયાનું કનેક્શન? સુકેશે તપાસ સમિતિને જણાવ્યું હતું

Delhi News : સુકેશ ચંદ્રશેખર 200 કરોડની છેતરપિંડીના કેસમાં તિહાર જેલમાં બંધ છે. છેલ્લા કેટલાક મહિનામાં તેણે દિલ્હીના સીએમ સહિત અનેક મંત્રીઓ પર પત્રો જાહેર કરીને ગંભીર આરોપો લગાવ્યા હતા.

Delhi News : શું છે સત્યેન્દ્ર અને સિસોદિયાનું કનેક્શન? સુકેશે તપાસ સમિતિને જણાવ્યું હતું
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 10:12 AM

દિલ્હીની તિહાર જેલમાં બંધ એક કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ રચેલી કમિટીને આપેલા પોતાના નિવેદનમાં તેમણે મંત્રી સત્યેન્દ્ર જૈનને પૈસા આપવાના આરોપને પુનરોચ્ચાર કર્યો હતો. આ રિપોર્ટમાં સુકેશે સમિતિને જણાવ્યું કે, તેણે 60 કરોડ ક્યારે અને ક્યાં આપ્યા હતા. વાસ્તવમાં કમિટીએ 14 નવેમ્બર અને 15 નવેમ્બરે મંડોલી જેલમાં સુકેશનું નિવેદન નોંધ્યું હતું. તેમણે સમિતિને જણાવ્યું કે, તેમણે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ફાર્મ હાઉસ પર મંત્રી સત્યેન્દ્ર જૈનને ચાર હપ્તામાં 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રશેખર દ્વારા જૈન સહિતના AAP નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ (ગૃહ)ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.સુકેશે જણાવ્યું હતું કે, 2017માં સુકેશ ચંદ્રશેખરે 50 કરોડ રૂપિયા આપ્યા બાદ હોટેલ હયાત રિજન્સી ભીકાજી કામા પ્લેસ ખાતે ડિનર પાર્ટી, જેમાં સીએમ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગેહલોતે હાજરી આપી હતી. તેણે કહ્યું કે, સત્યેન્દ્ર જૈને ઘણી વખત ફોન પર વાત કરી.

DG જેલે સંદીપ ગોયલ-સુકેશને 12.50 કરોડ રૂપિયા આપ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમિતિના સભ્યો 14-15 નવેમ્બરે મંડોલી જેલમાં ચંદ્રશેખરને મળ્યા હતા અને તેમનું નિવેદન નોંધ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સમિતિ દ્વારા સુપરત કરાયેલા અહેવાલ મુજબ, ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈનને 60 કરોડ રૂપિયા આપવાના આરોપને પુનરોચ્ચાર કર્યો છે – આમ આદમી પાર્ટી વતી રાજ્યસભાની બેઠક મેળવવા માટે 50 કરોડ રૂપિયા અને જેલમાં સુરક્ષા માટે 10 કરોડ રૂપિયા આપ્યાના આરોપને દોહરાવવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ચંદ્રશેખરે તત્કાલિન મહાનિર્દેશક (જેલ) સંદીપ ગોયલને 12.50 કરોડ રૂપિયા આપ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

સીએમ કેજરીવાલ નાણાકીય વ્યવહારોથી વાકેફ હતા

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે સમિતિને એમ પણ જણાવ્યું હતું કે કુલ રકમ અને તેના વ્યવહારોના સ્થળ અને સમય અંગે જૈન સાથે તેમના વોટ્સએપ મેસેજ સુરક્ષિત છે. તે તપાસ એજન્સીઓની માંગ પર પુરાવા તરીકે તેને ઉપલબ્ધ કરાવશે.

સૂત્રોએ જણાવ્યું કે ચંદ્રશેખરે એવો પણ દાવો કર્યો છે કે તેણે જૈનના ફોન દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી હતી અને પૈસાની લેવડદેવડની પુષ્ટિ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેણે દાવો કર્યો છે કે 2017માં આરકે પુરમની એક હોટલમાં તેમના દ્વારા આયોજિત પાર્ટીમાં કેજરીવાલ, જૈન અને કૈલાશ ગેહલોત પણ હાજર હતા.

(ઇનપુટ ભાષા)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">