AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં મોટો ફેરફાર, આતિશીને નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી

દિલ્હીના LG વીકે સક્સેનાએ પણ અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેજરીવાલ સરકારમાં દિલ્હીની કાલકાજી વિધાનસભાથી ધારાસભ્ય આતિશીનું કદ ઘણું વધી ગયું છે. અગાઉ કેબિનેટમાં નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે હતી.

Delhi: અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં મોટો ફેરફાર, આતિશીને નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી
Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 4:11 PM
Share

Delhi News: રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલે પોતાની કેબિનેટમાં ફેરફાર કરીને આતિશીને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી છે. આતિશી પહેલાથી જ શિક્ષણ મંત્રી છે, હવે તેમને નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી મનીષ સિસોદિયા પાસે હતી

દિલ્હીના LG વીકે સક્સેનાએ પણ અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેજરીવાલ સરકારમાં દિલ્હીની કાલકાજી વિધાનસભાથી ધારાસભ્ય આતિશીનું કદ ઘણું વધી ગયું છે. અગાઉ કેબિનેટમાં નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે હતી, પરંતુ તે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જેલમાં છે, તેથી જ હવે આતિશીને આ જવાબદારી સોંપવામાં આવી છે.

દિલ્હી સરકારમાં આતિશીનું કદ વધ્યું

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા વરિષ્ઠ મંત્રી જેલમાં હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સરકાર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, ખાલી પડેલા પોર્ટફોલિયોને અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી રહ્યા છે. તેમાંથી, આતિશી સૌથી મજબૂત મંત્રી તરીકે ઉભરી આવ્યા છે, તેમની પાસે હાલમાં દિલ્હી સરકારના લગભગ એક ડઝન વિભાગની જવાબદારી છે.

આ પણ વાંચો : Monsoon: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, મુંબઈમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત

દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કુલ 7 મંત્રીઓ

દિલ્હી સરકારના મંત્રી મંડળમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત 7 મંત્રીઓ છે. તેમાંથી, ઇમરાન હુસૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, રાજ કુમાર આનંદ, સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેના કેબિનેટ મંત્રી તરીકે વિવિધ વિભાગો સંભાળી રહ્યા છે. અગાઉ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા પણ કેબિનેટમાં હતા, પરંતુ જેલમાં ગયા બાદ બંનેએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીમાં કુલ ધારાસભ્યોની સંખ્યા 70 છે અને કોઈપણ સરકારમાં કુલ ધારાસભ્યોના માત્ર 10 ટકા જ મંત્રી બની શકે છે. તે મુજબ દિલ્હી સરકારમાં માત્ર 7 મંત્રીઓ હોઈ શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">