AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ બ્લાસ્ટથી ધમધમી, સ્કૂલ પાસે બ્લાસ્ટ, 25થી વધુ વિદ્યાર્થીઓના મોત

Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સ્કૂલ પાસે બે વિસ્ફોટ (Bomb Blast) થયા છે. આ હુમલામાં છ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે.

Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ બ્લાસ્ટથી ધમધમી, સ્કૂલ પાસે બ્લાસ્ટ, 25થી વધુ વિદ્યાર્થીઓના મોત
Blast in Kabul: 25 killed in school blast near Kabul
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 1:02 PM
Share

Blast In Kabul: અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ ફરી એકવાર વિસ્ફોટો(Bomb Blast)થી હચમચી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે રાજધાની કાબુલ(Kabul)ના પશ્ચિમ ભાગમાં એક સ્કૂલ પાસે બે બ્લાસ્ટ થયા છે. આ વિસ્ફોટોમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ રાજધાનીના દસ્તા-બરચી વિસ્તારમાં થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે બીજો વિસ્ફોટ અબ્દુરહીમ શાહિદ હાઈસ્કૂલ પાસે થયો હતો. આ હુમલાની જવાબદારી કોણે લીધી છે, હજુ સુધી આ માહિતી મળી નથી. સામાન્ય રીતે ઈસ્લામિક સ્ટેટ (Islamic State) અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટોની જવાબદારી લેતું રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ ઈસ્લામિક સ્ટેટ સક્રિય થઈ ગયું છે. આતંકવાદી સંગઠન મોટાભાગે દેશની શિયા વસ્તીને નિશાન બનાવી રહ્યું છે. શિયા મુસ્લિમોની મસ્જિદો પર હુમલા થાય છે. જો કે, તાલિબાનનું કહેવું છે કે તેની સરકારે દેશમાં આતંકવાદી હુમલાઓને રોકવા માટે મજબૂતીથી કામ કર્યું છે. જેના કારણે હવે દેશમાં આતંકવાદી ઘટનાઓ ઘટી રહી છે. પરંતુ અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં અવારનવાર આતંકવાદી હુમલા થયા છે.

અગાઉ, એપ્રિલની શરૂઆતમાં, કાબુલની સૌથી મોટી મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન હાથ ગ્રેનેડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. પોલીસના પ્રવક્તાએ આ જાણકારી આપી. આ હુમલો જૂના કાબુલ શહેરની મધ્યમાં આવેલી અઢારમી સદીની પુલ-એ-ખિશ્તી મસ્જિદ પર કરવામાં આવ્યો હતો. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝરદાને જણાવ્યું હતું કે તાલિબાને એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. આ હુમલા પહેલા 4 એપ્રિલે પણ આ જ વિસ્તારમાં બીજો ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓની જવાબદારી કોઈએ લીધી ન હતી. માર્કેટમાં થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 59 અન્ય લોકો ઘાયલ થયા હતા.

ગ્રેનેડ હુમલા બાદ કાબુલની ઈમરજન્સી હોસ્પિટલે ટ્વીટ કરીને જણાવ્યું કે હોસ્પિટલમાં એક શબ લાવવામાં આવ્યો છે અને 59 લોકોની સારવાર કરવામાં આવી છે, જેમાંથી 30 ઘાયલોને સારી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હોસ્પિટલે ઈજાગ્રસ્તોને કેટલી ઈજાઓ થઈ છે તે અંગે કોઈ માહિતી આપી નથી. તાલિબાનની કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કરન્સી એક્સ્ચેન્જર્સને લૂંટવા માંગતા સંભવિત ચોર દ્વારા ફેંકવામાં આવેલા હેન્ડ ગ્રેનેડને કારણે વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે 10 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો-કુરાન સળગાવવાનો મામલોઃ હિંસાની આગમાં સળગી રહ્યું છે સ્વીડન, અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ

આ પણ વાંચો-પાકિસ્તાનમાં રાજકીય ડ્રામા યથાવત, નવા કેબિનેટ સભ્યોને શપથ આપવાનો રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનો ઇનકાર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">