Covid Vaccination : દિલ્હી સરકારે આંકડો કર્યો જાહેર, સોમવારે, 4,576 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો

દિલ્હી સરકારે સોમવારે એક ડેટા રજૂ કર્યો છે, જે દર્શાવે છે કે સોમવારે દેશની રાજધાનીમાં 15 થી 18 વર્ષની વય જૂથના 4,500 થી વધુ બાળકોને કોરોના વાયરસ રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

Covid Vaccination : દિલ્હી સરકારે આંકડો કર્યો જાહેર, સોમવારે, 4,576 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો
child vaccination ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 10:29 AM

બાળકોમાં પણ કોરોના વેક્સિનેશન (Corona vaccination) કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. જેમાં અમુક બાળકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે (delhi government) સોમવારે એક ડેટા રજૂ કર્યો છે. જે દર્શાવે છે કે સોમવારે દેશની રાજધાનીમાં 15 થી 18 વર્ષની વય જૂથના 4,500 થી વધુ બાળકોને કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે સોમવારે રસીનો બીજો ડોઝ મેળવવા માટે પાત્ર 20,998 કિશોરો પૈકી 4,576 રસી માટે પહોંચી ગયા હતા. દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે અન્ય 33,179 બાળકો તેમના બીજા ડોઝ માટે પાત્ર બનશે. આ વર્ષે 3 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

સરકારે કહ્યું કે ઉત્તર-પૂર્વ દિલ્હીએ સોમવારે સવારે 9 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે 1,282 બાળકોને રસી આપવામાં આવી છે. જે શહેરના 11 જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ પછી દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં 624 ડોઝ આપવામાં આવ્યા છે. આ સિવાય મધ્ય દિલ્હીમાં 129, પૂર્વ દિલ્હીમાં 400, નવી દિલ્હીમાં 379, ઉત્તર દિલ્હીમાં 118, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં 381 અને શાહદરામાં 337 બાળકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બાળકોને હાલમાં કોવેક્સિનના શોટ આપવામાં આવી રહ્યા છે, જે બે ડોઝના છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, “15 થી 17 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણની ગતિ ઝડપી હોવાથી અમે હવે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે જે બાળકોને હજુ સુધી તેમનો પ્રથમ ડોઝ મળ્યો નથી તેઓને વહેલામાં વહેલી તકે આવરી લેવામાં આવે. અમે એવા બાળકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેઓ આ અઠવાડિયાથી બીજા ડોઝ માટે પાત્ર બનશે. નોંધપાત્ર રીતે, 3 થી 9 જાન્યુઆરીની વચ્ચે, 15 થી 17 વર્ષની વય જૂથના 2.5 લાખથી વધુ બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બીજા ડોઝ માટે પાત્ર બનશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશોરોએ રસીકરણ અંગે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હોવા છતાં તેઓ સમયસર તેમનો બીજો ડોઝ લે તેની ખાતરી કરવા માટે તેઓને SMS મોકલશે.

આ પણ વાંચો : Viral video : જ્યારે બે યુવક એસ્કેલેટર પર ચડવા લાગ્યા ઊંધા, વિડિયો જોઈને લોકો બોલ્યા કેટલા તેજસ્વી લોકો છે

આ પણ વાંચો : Budget 2022 Share Market Updates : બજેટ પૂર્વે શેરબજારની તેજીમાં રોકાણકારોને 2.5 લાખ કરોડની કમાણી, Sensex માં 800 અને Nifty 225 અંકનો ઉછળ્યા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">