શું કેસ દાખલ કરાયો હતો?
દાખલ કરાયેલા કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરજદારનું કહેવું છે કે મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીને દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ આ 27 મંદિરોને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ઉતાવળમાં, મંદિરો તોડીને બાકીની સામગ્રી સાથે મસ્જિદ બનાવવામાં આવી હતી. ત્યારબાદ તે મસ્જિદનું નામ કુવ્વત-ઉલ-ઈસ્લામ રાખવામાં આવ્યું. જેનો અર્થ થાય છે ઇસ્લામની શક્તિ. તેના નિર્માણનો હેતુ પૂજા કરતાં સ્થાનિક હિંદુ અને જૈન લોકોની ધાર્મિક લાગણીઓને વધુ ઠેસ પહોંચાડવાનો અને તેમની સામે ઇસ્લામની શક્તિ બતાવવાનો હતો.
ન્યાયાધિશે શું કહ્યુ ?
કેસને ફગાવી દેતા ન્યાયાધીશ નેહા શર્માએ કહ્યું કે, ભારતનો સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઇતિહાસ છે. અહીં ઘણા રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું છે. ન્યાયાધીશે કહ્યું કે ઈતિહાસને સમગ્ર રીતે સ્વીકારવો પડશે. શું આપણા ઈતિહાસમાંથી સારાને જાળવી શકાય અને ખરાબને ભૂંસી શકાય નહીં? તેમણે 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અયોધ્યા ચુકાદાનો ઉલ્લેખ કર્યો. સમગ્ર કેસ પર પ્રકાશ ફેંકવા માટે તેમણે અયોધ્યા ચુકાદાના એક ભાગને ટાંક્યો હતો.
ન્યાયાધીશે કહ્યું કે એક વાર એક સ્ટ્રક્ચરને સુરક્ષિત સ્મારક જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારની માલિકીની હોય તો અરજદાર પૂજા સ્થળનો ધાર્મિક રીતે ઉપયોગ થવો જોઈએ તેવો આગ્રહ કરી ન શકે.
મહત્વનું છે કે એડવોકેટ વિષ્ણુ એસ જૈન દ્વારા દાખલ કરાયેલા દાવામાં કેન્દ્ર સરકારને ટ્રસ્ટ એક્ટ 1882 મુજબ ટ્રસ્ટ બનાવવા અને કુતુબ વિસ્તારમાં સ્થિત મંદિર સંકુલનું સંચાલન અને વહીવટ સોંપવા માટે ફરજિયાત મનાઈ હુકમની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ જનરલ બિપિન રાવતના નિધન પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?
આ પણ વાંચોઃ Viral Video : આ ડોગ પાસે તો માણસ કરતા પણ સારી સુવિધા ! ડોગના આલીશાન ઘરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ