ભારતે કોઈની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી. આપણા જવાનો દિવસ-રાત સરહદોની સુરક્ષા કરી રહ્યા છે. આ વાત રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે બારામુલા કેન્ટમાં કહી હતી. તેમણે કહ્યું કે અમે સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ. અમે વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માનીએ છીએ. રાજનાથ સિંહ બારામુલા કેન્ટમાં સૈનિકોને પણ મળ્યા હતા. બેઠક દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે આપણા સૈનિકોમાં પોતાનો જીવ આપીને જમીન બચાવવાનો ઉત્સાહ છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, દરરોજ કેટલીક ઘટનાઓ બનતી રહે છે, પરંતુ હવે આતંકવાદી (Terrorists) ઘટનાઓ માત્ર નામ બની ગઈ છે. હું તેનો શ્રેય સેનાના જવાનોને આપવા માંગુ છું. સેનાના જવાનો હિંમતથી દેશની સરહદોની રક્ષા કરે છે.
તેમણે બારામુલામાં સેનાના અધિકારીઓ સાથે ભોજન કર્યું. રાજનાથ સિંહ કેન્દ્રશાસિત પ્રદેશની તેમની 2 દિવસીય મુલાકાત પર જુદા-જુદા વિસ્તારોની મુલાકાત લેશે અને 17 જૂને જમ્મુમાં મહારાજા ગુલાબ સિંહના ‘રાજ્યભિષેક સમારોહ’ની 200મી વર્ષગાંઠમાં પણ હાજરી આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, પાકિસ્તાનની નીતિ ભારતના હજારો ટુકડા કરીને લોહી વહેવડાવવાની છે, પરંતુ તમે દેશની વાડના એ તાર છો, જેના કારણે તે પોતે જ કપાઈ જાય છે. દેશને તમારા પર વિશ્વાસ છે, તેઓ જાણે છે કે તમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છો.
પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આઝાદી બાદથી હું જાણું છું કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ છે. આપણો પાડોશી સમયાંતરે કેવા નાપાક કૃત્યો કરતો રહે છે તે કહેવાની જરૂર નથી. દરરોજ કોઈને કોઈ ઘટના થાય છે. અગાઉ આતંકવાદી ઘટનાઓ પણ મોટી સંખ્યામાં બનતી હતી, પરંતુ હવે તે નહિવત રહી ગઈ છે. તેનો શ્રેય આપણી સેનાના જવાનોને જાય છે. શ્રેય CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને જાય છે.
પાકિસ્તાન હંમેશા ભારતને હેરાન કરવાની કોશિશ કરે છે, પરંતુ તમે બધા આ દેશના એવા ફેન્સીંગ તાર છો, જેમના કાપવાના પ્રયાસમાં પોતે જ શિકાર બને છે અને તમારી તત્પરતાને કારણે આપણા પાડોશીએ તેના ભોગ બનવું પડશે. તેમણે સેનાને કહ્યું, તમે માત્ર એક જ વાતની ચિંતા કરો છો, આ ભારતની ધરતી પર આપણો ત્રિરંગો ગર્વથી લહેરાવો જોઈએ.
Published On - 4:06 pm, Thu, 16 June 22