દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા, લાંબા સમયથી હતા બિમાર
જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
દ્વારકાપીઠના શંકરાચાર્ય (Shankaracharya) સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.
Dwarka Shankaracharya Swami Swaroopanand Saraswati passes away at the age of 99, in Madhya Pradesh’s Narsinghpur
(file pic) pic.twitter.com/Bzi541OiPW
— ANI (@ANI) September 11, 2022
9 વર્ષેની વયે છોડી દીધું ઘર
નવ વર્ષની નાની ઉંમરે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ઘર છોડીને ધાર્મિક તીર્થયાત્રાઓ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપતિ મહારાજ વેદ-વેદાંગ અને શાસ્ત્રો શીખ્યા. આ તે સમય હતો જ્યારે દેશ અંગ્રેજો સામે લડી રહ્યો હતો. દેશમાં આંદોલનો થયા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. આ ઉંમરે તેમની ઓળખ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે થઈ હતી. આ સમય દરમિયાન, તેમણે નવ મહિના વારાણસીની જેલમાં અને છ મહિના તેના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા.
જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી કરપતિ મહારાજના રાજકીય પક્ષ રામ રાજ્ય પરિષદના પ્રમુખ પણ હતા. 1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. 1950માં શારદા પીઠે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેઓ રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. અવારનવાર તમામ મુદ્દાઓમાં સરકાર સામે અવાજ ઉઠાવતા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઈરાનના પ્રવાસે હતા ત્યારે સુષ્માએ માથું ઢાંકી દીધું હતું. હિજાબનો ટ્રેન્ડ હોવાથી તેઓએ પણ એવું જ કરવું પડ્યું. શંકરાચાર્યે તેનો વિરોધ કર્યો.
તેમનો જન્મદિવસ હરિયાળી તીજના દિવસે ઉજવવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આપણા આદરણીય ગુરુદેવ, સનાતન ધર્મના ધ્વજ વાહક, અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પ્રાગટય દિવસે તેમને હાર્દિક શુભેચ્છાઓ. મહારાજશ્રી આપણા સૌના પ્રેરણાસ્ત્રોત બની રહે, સ્વસ્થ રહે અને લાંબુ આયુષ્ય આપે, એ જ માતા રાજ રાજેશ્વરીને પ્રાર્થના.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ
द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) September 11, 2022