શું ખરેખર લોકશાહી છે ? પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપતા મુખિયાએ એક વ્યકિતના કાન કાપી નાખ્યા

|

Dec 29, 2021 | 7:08 PM

બિહારમાં પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી જંગ ખતમ થવાનું નામ નથી લઈ રહી, ચૂંટણી બાદ હત્યા, મારપીટના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે.

શું ખરેખર લોકશાહી છે ? પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપતા મુખિયાએ એક વ્યકિતના કાન કાપી નાખ્યા
cutoff voter ear for vote

Follow us on

Bihar: બિહારમાં પંચાયત ચૂંટણી (Panchayat Election) પુરી થયા બાદ પણ આ જંગ હજુ શરૂ હોય તેવુ લાગી રહ્યું છે. વોટ ન આપવા બદલ થૂંક ચાટવા જેવા શરમજનક કૃત્ય બાદ હવે ચૂંટણી જીત્યા બાદ  મુખિયાના દિયરે એક મજુરના કાન કાપી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે બિહારમાં પંચાયતની ચૂંટણી પૂરી થયા બાદ દુશ્મનાવટમાં હત્યા અને મારપીટના મામલા દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરનો આ મામલો નવાદા જિલ્લાના (Nawada District) રોહ પોલીસ સ્ટેશનના મારુઈ પંચાયતનો છે, જ્યાં વોટ ન કરવા બદલ એક વ્યક્તિ પર હુમલો કરીને તેના કાન કાપી નાખવામાં આવ્યા છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુખિયા મુટુરવા દેવીના દિયર પર આરોપ

મારુઈ પંચાયતમાં વોટ ન આપવા બદલ એક ચોંકાવનારુ કૃત્ય કરવામાં આવ્યુ છે. વોટ ન આપવા બદલ કેટલાક માથાભારે વ્યક્તિઓએ એક વ્યક્તિના કાન કાપી નાખ્યા. પીડિત મિથલેશ યાદવનો (Mithilesh Yadav)  આરોપ છે કે ચૂંટણીમાં વોટ ન આપવા બદલ મુખિયાના લોકોએ તેને ખૂબ માર માર્યો હતો અને ત્યારબાદ તેના કાન કાપી નાખ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મિથલેશ યાદવને નવાદા શહેરમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ પીડિતાએ મુટુરવા દેવીના દિયર સહિત ચાર લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં (Police Station)  ફરિયાદ નોંધાવી છે.

 

તલવાર વડે હુમલો કરીને કાન કાપી નાખ્યા

મિથલેશે આરોપ લગાવ્યો છે કે 27 ડિસેમ્બરની સાંજે તે બરપાંડેયાથી તે મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જયકરણ યાદવ, અજીત, કુંદન અને સંતોષ યાદવ સહિતના આરોપી સમહરીન બ્રિજ પાસે આવ્યા અને જયકરણ યાદવના કહેવા પર સંતોષ યાદવે તેના પર તલવાર ચલાવી હતી અને તેના કાન કાપી નાખ્યા હતા.

 

જ્યારે આ કેસમાં મુખિયાના દિયર જયકરણ યાદવનું કહેવું છે કે મિથલેશને ગામના જ એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જેથી તેની સાથે થયેલા ઝઘડામાં તે આ રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આવી ઘટના સામે આવતા હાલ પ્રશ્ન થાય કે શું ખરેખર દેશમાં લોકશાહી છે?

 

 

આ પણ વાંચો : ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટીસ, વિધાનસભાની ચૂંટણી મોકુફ રાખવા કરાઈ છે અરજી

 

Published On - 6:27 pm, Wed, 29 December 21

Next Article