Vaccination: બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારી પૂરજોશમાં, વર્ષના અંત સુધીમાં WHO તરફથી મળી શકે છે લાયસન્સ

બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો બાળકોને પણ સંક્રમિત કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

| Updated on: May 24, 2021 | 1:20 PM

બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો બાળકોને પણ સંક્રમિત કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જેથી બાળકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વૅક્સીન બનાવતી કંપની ભારત બાયોટેક એની કોરોના વેક્સિનની ટ્રાયલ જૂનમાં​​​ બાળકો પર શરૂ કરી શકે છે.

કંપનીને 2 થી 18 વર્ષનાં બાળકો પર ટ્રાયલની મંજૂરી સરકાર પાસેથી પહેલાં જ મળી ચૂકી છે. ભારત સરકારે 12 મેના રોજ 2 થી 18 વર્ષનાં બાળકો માટે ભારત બાયોટેકની કો-વેક્સિનની મંજૂરી આપી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ 10થી 12 દિવસમાં શરૂ થશે. આ મંજૂરી DCGIની એક્સપર્ટ ટીમની ભલામણ પછી આપવામાં આવી હતી.

આ ભારતની પહેલી વેક્સિન હશે, જે બાળકોને આપવામાં આવશે. આ વિશે માહિતી કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ એડવોકેસી હેડ ડૉ. રાચેસ એલાએ આપી છે. એલાએ FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશનના સભ્યો સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે, વેક્સિનને આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટરમાં WHO થી લાઈસન્સની મંજૂરી મળવાની શક્યતા છે.

સાથે જ રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન તેજ કરવા રાજ્ય સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. અગાઉ રાજ્યના 10 શહેરોમાં 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે 30 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી.

જોકે રસીકરણ મહાઅભિયાન તેજ કરવાના ભાગરૂપે હવે 10 શહેરોમાં રોજના 1 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે સરકારે કમરકસી છે. નવા આયોજન દ્વારા રાજ્ય સરકારે આગામી એક સપ્તાહમાં 8 લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક સેવ્યો છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">