‘પાકિસ્તાન ઝિંદાબાદ’ પોસ્ટ કરનાર 62 વર્ષીય વ્યક્તિને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો
ફેસબુક પર 'પાકિસ્તાન ઝિંદાબાદ'ની પોસ્ટ શેર કરનારા 62 વર્ષીય આરોપી અંસાર અહેમદ સિદ્દકીની જામીન અરજી કોર્ટે નકારી દીધી છે. આ ઉપરાંત અંસાર અહેમદને જામીન આપવાનો ઇન્કાર કરતાં ન્યાયાધીશ સિદ્ધાર્થે જણાવ્યું કે, ન્યાયિક સહિષ્ણુતા રાષ્ટ્ર વિરોધી કૃત્યોને પ્રોત્સાહન આપે છે

અલ્હાબાદ હાઈકોર્ટે ફેસબુક પર “પાકિસ્તાન ઝિંદાબાદ” પોસ્ટ શેર કરવાના આરોપી 62 વર્ષીય વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે રાષ્ટ્રવિરોધી કૃત્યો પ્રત્યે ન્યાયતંત્રની સહનશીલતા તેમના વધારામાં ફાળો આપી રહી છે.
“આવા ગુનાઓનું આચરણ એક સામાન્ય બાબત બની રહી છે… કારણ કે અદાલતો રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવતા લોકોના આવા કૃત્યો પ્રત્યે ઉદાર અને સહિષ્ણુ છે,” ન્યાયાધીશ સિદ્ધાર્થે જણાવ્યું હતું. “આ તબક્કે અરજદારને જામીન પર મુક્ત કરવા માટે આ યોગ્ય કેસ નથી.”
હાઈકોર્ટે ઠરાવ્યું કે અંસાર અહમદ સિદ્દીકનું કૃત્ય “બંધારણ અને તેના આદર્શોનો અનાદર” હતું અને તે દેશની સાર્વભૌમત્વને પડકારવા સમાન હતું.
“તેમનું બેજવાબદાર અને રાષ્ટ્રવિરોધી વર્તણૂક તેમને બંધારણની કલમ 21 હેઠળ બાંયધરીકૃત સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ મેળવવાનો અધિકાર આપતી નથી,” કોર્ટે કહ્યું.
અંસાર અહેમદ સિદ્દીકી સામે બીએનએસની કલમ 197 (રાષ્ટ્રીય એકતાને કમજોર કરનારું કૃત્ય), 152 (ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને જોખમમાં મૂકવાનું કૃત્ય) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અરજદારના વકીલે કહ્યું કે સિદ્દીકીએ 3 મેના રોજ વિવાદાસ્પદ વીડિયો શેર કર્યો હતો. તેમણે તેમની ઉંમર અને સારવાર ચાલુ સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્ય સરકારે જામીનનો વિરોધ કર્યો હતો, અને દલીલ કરી હતી કે આ વીડિયો 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે સાબિત કરે છે કે સિદ્દીકીએ ધાર્મિક આધાર પર આતંકવાદને ટેકો આપ્યો હતો.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક નાગરિકની ફરજ છે કે તે બંધારણનું સન્માન કરે અને દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાળવી રાખે. જામીન અરજી ફગાવી દેતા, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો