Corona Vaccine : દેશની 35 ટકા વસ્તી ફૂલી વેક્સિનેટેડ, એમ્સના ડોક્ટરએ બુસ્ટર ડોઝને લઈને આપ્યું એવું નિવેદન કે બન્યું ચિંતાનો વિષય

ડૉક્ટરે દલીલ કરી હતી કે બંને ડોઝ લેનારને બૂસ્ટર ડોઝ આપવાને બદલે બાકીની વસ્તીને પ્રાથમિકતા સાથે સંપૂર્ણ રસીકરણની જરૂર છે.

Corona Vaccine : દેશની 35 ટકા વસ્તી ફૂલી વેક્સિનેટેડ, એમ્સના ડોક્ટરએ બુસ્ટર ડોઝને લઈને આપ્યું એવું નિવેદન કે બન્યું ચિંતાનો વિષય
Corona Vaccine (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 6:47 AM

ભારતમાં 107 કરોડથી વધુ ડોઝ આપી દીધા છે. ભારત સતત રસીકરણ (Corona vaccination) ઉપર ભાર મૂકી રહ્યું છે. તો અમુક લોકોએ જે રસીના ડોઝ પડયા છે તેનો બુસ્ટર ડોઝ (booster dose) તરીકે ઉપયોગ કરી ફ્રન્ટલાઈન કામદારો(Frontline workers) અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આપવાના સૂચનો આપ્યા હતા. આ વચ્ચે એમ્સના ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના એક ડોક્ટરે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતને અત્યારે બૂસ્ટર ડોઝ આપવાનું પોસાય તેમ નથી કારણ કે માત્ર 35 ટકા વસ્તી કોરોના મહામારી સામે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સારી રીતે રસી આપવામાં આવી છે. ન્યુરોલોજીના પ્રોફેસર અને ડોકટરે દલીલ કરી હતી કે રસીના બંને ડોઝ લેનારાઓને બૂસ્ટર ડોઝ આપવાને બદલે બાકીની વસ્તીને પ્રાથમિકતા સાથે સંપૂર્ણ રસીકરણ કરવાની જરૂર છે.

ડૉ. એમ.વી. પદ્મ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આપણી લગભગ 35 ટકા વસ્તી સંપૂર્ણ રસીકરણ છે. મોટા ભાગને હજુ પણ સંપૂર્ણ રસીકરણની જરૂર છે. આ સ્થિતિમાં આપણે વિચારવાની જરૂર છે કે શું આપણે રસીનો બૂસ્ટર શોટ બંને ડોઝ લેનારને આપવો જોઈએ કે જેણે એક જ ડોઝ લીધો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ડોકટરે કહ્યું, જો કે, બૂસ્ટર શોટ અંગેનો પ્રશ્ન નૈતિક છે અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. “મને ખાતરી છે કે થિંક-ટેંક યોગ્ય નિર્ણય લેશે.” તેમણે ઉમેર્યું, “રોગપ્રતિરક્ષા કરાયેલા લોકોનો એક પેટા વિભાગ છે. રસી પછી પણ આ લોકોમાં એન્ટિબોડી નથી બની રહી. તેને 6 મહિના પહેલા જ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. તેથી એવા વૈજ્ઞાનિક પુરાવા છે કે તેમને ઓછામાં ઓછી થોડી પ્રતિરક્ષા મેળવવા માટે બૂસ્ટર ડોઝની જરૂર પડશે. SAGE તેની તપાસ કરી રહી છે અને સૂચનાઓ સાથે બહાર આવશે.”

ભારત બાયોટેકના(Bharat Biotech) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ(Krishna Ella) બુધવારે કહ્યું કે કોરોના વેક્સિનના બીજા ડોઝના છ મહિના પછી ત્રીજો ડોઝ આપવો જોઈએ અને આ સૌથી યોગ્ય સમય છે. આ સાથે જ તેમણે નોઝલ વેક્સિનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે તેમની કંપની ‘Zika’ રસી બનાવનારી વિશ્વની પ્રથમ કંપની છે.

દેશમાં રસીકરણનો દર વધારવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર આ વિશેષ અભિયાનની સમીક્ષા કરવા ગુરુવારે રાજ્યો સાથે બેઠક કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રસીના કવરેજને લઈને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની આ બેઠક બોલાવી છે.

કેન્દ્ર સરકાર આ બેઠકમાં દેશભરમાં હર ઘર દસ્તક અભિયાનની સ્થિતિ શું છે તેની સમીક્ષા કરશે. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Corona Vaccine : શું હવે કોરોનાની નોઝલ વેક્સિન આવશે ? વેક્સિનના બુસ્ટર ડોઝને લઈને આવ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : બળાત્કાર કેસમાં સુરત કોર્ટે આપ્યો રાજ્યનો સૌથી ઝડપી ચુકાદો, આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">